બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Unique service in Ahmedabad, these gentlemen are feeding about 500 people every day
ADVERTISEMENT
હાલમાં રાજ્યમાં અમુક હોસ્પિટલોમાં, નકલી દવાઓ પધરાવવાના, રેમેડેસીવીર વગેરે ડ્રગ્સના કાળા બજાર કરીને નફો ઉતારવાની જે હીન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એવા સમયે રાજ્યમાં અમુક લોકોએ માનવતાને મહેકાવી પણ છે, મહત્વનું છે કે અમદાવાદના અમુક દાનવીરો અને કર્મવીરોએ સાથે મળીને બે રસોડા શરૂ કર્યા છે, જેમાંથી 500 લોકોના પેટનો જઠરાગ્નિ ઠારવામાં આવે છે.

ADVERTISEMENT
કોરોનાથી શહેરમાં હાલત ખરાબ છે
કોરોના કાળમાં જ્યાં એક બાજુ બીમાર માણસોને બેડ પણ નથી મળતો, ત્યાં લોકોને ત્રણ ટાઈમનું ખાવાનું ક્યાંથી નસીબ થાય, જો કે અમદાવાદમાં કેટલાક ડેન્ટિસ્ટ અને શૈક્ષણિક અગ્રણીઓએ પોતાની સ્કીલનો યોગ્ય ઉપયોગ કરી સેવા યજ્ઞની શરૂઆત કરી છે અને તેમની પ્રવૃત્તિ દ્વારા સેવા પરમો ધર્મની વાતને યથાર્થ કરી છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે અમદાવાદના અમદાવાદના ડૉ બ્રિજેશ પટેલ કે જેઓએ પોતાની ક્લિનિક કોવિડ દર્દીઓની મદદ કરવા માટે બંધ કર્યું અને તેમની સાથે LJ કોલેજના કેમ્પસ ડિરેક્ટર ડો. વિરલ શાહે આ બંને સાથે મળીને 2 રસોડા શરૂ કર્યા છે જેના દ્વારા તેઓ રોજ 500 લોકોને નિઃશુલ્ક ભોજન કરાવી રહ્યા છે. આ કામમાં તેમની પત્ની અને અન્ય ડોકટર સહિત કુલ 25 લોકોની ટીમ સેવા આપી રહ્યા છે. ડૉક્ટર બ્રિજેશ પટેલ અને તેના સાથી મિત્રોએ ગત વર્ષે પણ મહામારીમાં સેવા શરૂ કરી હતી.

ADVERTISEMENT
દર્દીઓના સગાવહાલાંઓ કે મિત્રોને મળી જાય છે મદદ
અમદાવાદમાં હાલમાં કોરોનાએ માઝા મૂકી છે, સિવિલ હોસ્પિટલ, SVP કે ખાનગી હોસ્પિટલો સહિતની ઘણી હોસ્પિટલો ભરાઈ ગઈ છે, દર્દીઓ તો સારવાર માટે હાલાકી ભોગવી રહ્યા છે, પણ કદાચ તેમના સારા નસીબે તેમને બેડ મળી પણ જાય તો દર્દીના સગાવહાલાંઓને રહેવા જમવાની વ્યવસ્થા કેમ થાય? ત્યારે અમુક ડોકટરોએ અને અન્ય શિક્ષિત લોકોએ આદરેલા સેવા આ સેવા યજ્ઞ રૂપી રસોડાથી લોકોનો જઠરાગ્નિ ઠરે છે, અને તેઓ સંતૃપ્ત થાય છે. ખરેખર આવા લોકોએ આ કપરા કાળમાં પણ માનવતા મહેકાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.