બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / Unique service in Ahmedabad, these gentlemen are feeding about 500 people every day
Nirav
Last Updated: 09:17 PM, 1 May 2021
હાલમાં રાજ્યમાં અમુક હોસ્પિટલોમાં, નકલી દવાઓ પધરાવવાના, રેમેડેસીવીર વગેરે ડ્રગ્સના કાળા બજાર કરીને નફો ઉતારવાની જે હીન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એવા સમયે રાજ્યમાં અમુક લોકોએ માનવતાને મહેકાવી પણ છે, મહત્વનું છે કે અમદાવાદના અમુક દાનવીરો અને કર્મવીરોએ સાથે મળીને બે રસોડા શરૂ કર્યા છે, જેમાંથી 500 લોકોના પેટનો જઠરાગ્નિ ઠારવામાં આવે છે.
કોરોનાથી શહેરમાં હાલત ખરાબ છે
કોરોના કાળમાં જ્યાં એક બાજુ બીમાર માણસોને બેડ પણ નથી મળતો, ત્યાં લોકોને ત્રણ ટાઈમનું ખાવાનું ક્યાંથી નસીબ થાય, જો કે અમદાવાદમાં કેટલાક ડેન્ટિસ્ટ અને શૈક્ષણિક અગ્રણીઓએ પોતાની સ્કીલનો યોગ્ય ઉપયોગ કરી સેવા યજ્ઞની શરૂઆત કરી છે અને તેમની પ્રવૃત્તિ દ્વારા સેવા પરમો ધર્મની વાતને યથાર્થ કરી છે.
મહત્વનું છે કે અમદાવાદના અમદાવાદના ડૉ બ્રિજેશ પટેલ કે જેઓએ પોતાની ક્લિનિક કોવિડ દર્દીઓની મદદ કરવા માટે બંધ કર્યું અને તેમની સાથે LJ કોલેજના કેમ્પસ ડિરેક્ટર ડો. વિરલ શાહે આ બંને સાથે મળીને 2 રસોડા શરૂ કર્યા છે જેના દ્વારા તેઓ રોજ 500 લોકોને નિઃશુલ્ક ભોજન કરાવી રહ્યા છે. આ કામમાં તેમની પત્ની અને અન્ય ડોકટર સહિત કુલ 25 લોકોની ટીમ સેવા આપી રહ્યા છે. ડૉક્ટર બ્રિજેશ પટેલ અને તેના સાથી મિત્રોએ ગત વર્ષે પણ મહામારીમાં સેવા શરૂ કરી હતી.
દર્દીઓના સગાવહાલાંઓ કે મિત્રોને મળી જાય છે મદદ
અમદાવાદમાં હાલમાં કોરોનાએ માઝા મૂકી છે, સિવિલ હોસ્પિટલ, SVP કે ખાનગી હોસ્પિટલો સહિતની ઘણી હોસ્પિટલો ભરાઈ ગઈ છે, દર્દીઓ તો સારવાર માટે હાલાકી ભોગવી રહ્યા છે, પણ કદાચ તેમના સારા નસીબે તેમને બેડ મળી પણ જાય તો દર્દીના સગાવહાલાંઓને રહેવા જમવાની વ્યવસ્થા કેમ થાય? ત્યારે અમુક ડોકટરોએ અને અન્ય શિક્ષિત લોકોએ આદરેલા સેવા આ સેવા યજ્ઞ રૂપી રસોડાથી લોકોનો જઠરાગ્નિ ઠરે છે, અને તેઓ સંતૃપ્ત થાય છે. ખરેખર આવા લોકોએ આ કપરા કાળમાં પણ માનવતા મહેકાવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ