બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ભારત / Politics / Union Minister big statement after ayodhya ram temple 'This is just a glimpse, Kashi Mathura is still left
Megha
Last Updated: 12:47 PM, 23 January 2024
જે ઘડીની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી એ ગઇકાલે પૂર્ણ થઈ, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર મંદિર બન્યું અને ત્યાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. હવે ભગવાન શ્રી રામના દર્શન કરવા લોકો અયોધ્યાધામમાં ઉમટવા લાગ્યા છે અને મંદિર બહાર ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે.
रामलला लीला दिखलायेंगे..
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 22, 2024
काशी मथुरा अब हम जाएँगे । pic.twitter.com/wP0e3Prrbw
આ ઐતિહાસિક ક્ષણનો આખો દેશ સાક્ષી બન્યો હતો. એક તરફ પ્રાણ પ્રતિષ્ઠા પછી આખા દેશમાં દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવેદન બાદ બિહારમાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામલલાનું મંદિર તો બની ગયું હવે કાશી અને મથુરા બાકી છે.
સિમરિયા ધામમાં ગંગા નદીના કિનારે કાર્યક્રમમાં ભાગ લીધો એ સમયે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પ્રાણ પ્રતિષ્ઠા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ વિશે વાત કરતાં એમને કહ્યું કે, ' નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ છે જેમણે પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે. આજે નરેન્દ્ર મોદી તેમના સંકલ્પને લઈને 11 દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા સ્થાપનામાં વ્યસ્ત હતા. વિરોધીઓ દ્વારા વાંધાજનક વાતો કરવામાં આવી હતી પરંતુ ભારતનું સનાતન હવે જાગી ગયું છે.
श्री अयोध्या धाम में दिव्य उत्साह के बीच सिमरिया धाम,बेगूसराय में आनंदमय दीपोत्सव एवं गंगा आरती के दौरान भगवान श्री राम जी के पावन जीवन के जयकारे से वातावरण जगमगा उठा।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 22, 2024
उपस्थित लोग, अपनी सामूहिक भक्ति के नेतृत्व में, आध्यात्मिक एकता को बढ़ावा देने के अवसर पर 1 लाख दीप प्रज्वलित… pic.twitter.com/jqFANihuZE
તેમણે આગળ કહ્યું કે આજે હું જ્યાં પણ ગયો ત્યાં મેં યુવાનોને ભગવાન શ્રી રામની ભક્તિમાં જોયા. રામ મંદિર 1947માં જ બનવું જોઈતું હતું, પરંતુ તે સમયે દેશ પર શાસન કરનારાઓ મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સનાતનીઓના વિરોધને કારણે તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહીં. અત્યારે અયોધ્યામાં રામલલાનું મંદિર તો બની ગયું હવે કાશી અને મથુરા બાકી છે.
જણાવી દઈએ કે એક તરફ અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ થયો, તો બીજી તરફ બેગુસરાયમાં પણ સિમરિયા ગંગા ઘાટ પર એક લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા અને ગંગા આરતી પણ કરવામાં આવી હતી, જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો અને જય શ્રી રામના નારા લગાવીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir