બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ
ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી
GSEB SSC Result 2024: ધો. 10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓ અવ્વલ, બે કેન્દ્રોમાં 100 ટકા પરિણામ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
VTV / લાઈફસ્ટાઈલ / સલાડમાં આ વસ્તુઓ ખાવાથી પાણીની કમી થશે દૂર, લૂ નહીં લાગે અને ચહેરો ચમકી ઉઠશે
Last Updated: 12:48 PM, 28 April 2024
ઉનાળો ચાલી રહ્યો છે, ગરમી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જરૂરી બની જાય છે કે આ ગરમીમાં પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું. ગરમીને હરાવવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખવું વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ડિહાઇડ્રેશનને કારણે હીટસ્ટ્રોકનો ભય રહે છે. તેથી, ઉનાળામાં પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ રોજ એવું શક્ય નથી બનતું કે ભરપૂર માત્રામાં પાણી પીવામાં આવે. એટલે જ પીવાના પાણીની સાથે, કેટલીક એવી વસ્તુઓને આહારમાં સામેલ કરવું જોઈએ, જેમાં પાણી ભરપૂર હોય. આનાથી માત્ર તમારા એકંદર સ્વાસ્થ્યને જ ફાયદો નથી થતો, પરંતુ તમારી ત્વચા પણ ડ્રાય નથી થતી. ઉનાળામાં મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી, સંતરા વગેરે સારી માત્રામાં ખાવાની સાથે સાથે દૂધી અને તૂરિયાં જેવા શાકભાજીને પણ રાંધીને ખાવા જોઈએ. આ સાથે સલાડમાં દરરોજ કેટલાક કાચા શાકભાજી પણ ખાવા જોઈએ.
બીટરૂટ વધારશે લોહી અને પાચનક્રિયા પણ સુધરશે - શિયાળો હોય કે ઉનાળો, સલાડ દરમિયાન તમારા આહારમાં બીટરૂટનો સમાવેશ કરવો એ સારો વિકલ્પ છે. તેમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે. બીટરૂટ એ આયર્ન સહિત ઘણા વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. લોહીની ઉણપથી પીડાતા લોકો માટે પણ બીટરૂટ ખૂબ જ ફાયદાકારક છે.
સલાડમાં ટામેટાંનું સેવન આપશે ઘણા ફાયદા - ઉનાળાના દિવસોમાં સલાડમાં ટામેટાને સામેલ કરો કારણ કે તેમાં પુષ્કળ પાણી અને ઘણા પોષક તત્વો હોય છે. ત્વચાને ફાયદો કરવા ઉપરાંત કાચા ટામેટાંનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા, હૃદયને સ્વસ્થ રાખવા, કબજિયાતમાં સુધારો, વજન ઘટાડવા વગેરેમાં મદદરૂપ થાય છે.
ખીરા-કાકડી રોજ ખાઓ - ખીરા અને કાકડી એવી વસ્તુઓ છે જે પાણીથી ભરપૂર હોય છે. ઉનાળામાં આ બે શાકભાજીને તમારા આહારમાં દરરોજ સલાડ તરીકે સામેલ કરો.
ખૂબ જ ફાયદાકારક લીલું મરચું - ઉનાળા દરમિયાન લાલ મરચાને બદલે લીલા મરચાના સેવન પર ધ્યાન આપવું જોઈએ. દરરોજ 2 થી 3 લીલાં મરચાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. વિટામિન સીની સાથે તેમાં ઘણા પોષક તત્વો પણ મળી આવે છે, જે તમને ગરમીના સ્ટ્રોકથી બચાવીને ઉનાળામાં સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
હીટસ્ટ્રોકથી બચવા માટે કાચી ડુંગળી ફાયદાકારક - ઉનાળામાં જમવામાં કાચી ડુંગળી ખાઈ શકો છો. તમારા પેટને ઠંડક આપવા ઉપરાંત, તે તમને હીટસ્ટ્રોકથી બચાવવાનું પણ કામ કરે છે. તેથી, દરરોજ સલાડમાં એક ડુંગળી ખાઓ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT