બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / unhealthy foods can causes of cancer heart disease and diabetes
Manisha Jogi
Last Updated: 08:56 AM, 12 February 2024
હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જરૂરી છે. સ્વાદના ચક્કરમાં લોકો એવી ડાયટનું સેવન કરે છે, જેના કારણે લોકોએ લાંબી ઉંમરે ગંભીર હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. ફાસ્ટ ફૂડ, જંક ફૂડનું સેવન કરવાથી શરીર ધીમે ધીમે નબળુ પડવા લાગે છે અને શરીર બિમારીઓનું ઘર બની જાય છે. જેના કારણે મેદસ્વીતા, કુપોષણ, ત્વચા અને વાળને નુકસાન જેવી ગંભીર બિમારીઓ થવાનું જોખમ રહે છે. WHO એવા ફૂડ વિશે જણાવ્યું છે, જેના કારણે શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે.
આ ફૂડના કારણે હેલ્થને થઈ શકે છે નુકસાન
ફ્રાઈડ ફૂડ
ફ્રાઈડ ફૂડમાં વધુ પ્રમાણમાં ફેટ અને કેલરી હોય છે, તેથી તેનું સેવન ના કરવું જોઈએ. નિયમિતરૂપે આ વસ્તુઓનું સેવન કરવાને કારણે હાર્ટ હેલ્થ અને મેદસ્વીતાનું જોખમ રહે છે. ફ્રાઈડ ફૂડ જે પ્રકારે તેલમાં બનાવવામાં આવે છે, તેના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે.
આલૂ ચિપ્સ
લગભગ તમામ લોકોને આલુ ચિપ્સ પસંદ હોય છે. જે શરીરમાં ઝેરનું કામ કરે છે. આલુ ચિપ્સમાં ફેટ અને સોડિયમની માત્રા વધુ હોય છે, જેના કારણે મેદસ્વીતા, હાઈ બીપી, કેન્સર અને કોલસ્ટ્રોલનું જોખમ રહે છે.
શુગર
લગભગ મોટાભાગના ફૂડમાં ખાદ્ય પદાર્થ અને શુગર હોય છે, જે હેલ્થ માટે ખૂબ જ જોખમી છે. શુગરમાં બિલ્કુલ પોષણ હોતું નથી, જેના કારણે મેદસ્વીતા અને ડાયાબિટીસની બિમારી થવાનું જોખમ રહે છે.
પ્રોસેસ્ડ ઓઈલ
પ્રોસેસ્ડ ઓઈલનું સેવન ના કરવું જોઈએ. સોયાબીન, કેનોલા, મકાઈ જેવા પ્રોસેસ્ડ ઓઈસ હેલ્થ માટે હાનિકારક માનવામાં આવે છે. આ ફૂડને વધુ તાપમાન પર ગરમ કરવામાં આવે છે, જેના કારણે તેલ ઓક્સીકરણ થઈ જાય છે.
સફેદ બ્રેડ, ચોખા, પાસ્તા, પેસ્ટ્રી પિત્ઝા
સફેદ બ્રેડ, ચોખા, પાસ્તા, પેસ્ટ્રી પિત્ઝામાં વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેના કારણે શરીરમાં સોજો આવી શકે છે. આ તમામ ફૂડમાં શુગર વધુ હોય છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. આ ફૂડમાં ફાઈબર ના હોવાને કારણે કબજિયાત તથા પેટની અન્ય તકલીફ થઈ શકે છે.
પ્રોસેસ્ડ મીટ
પ્રોસેસ્ડ મીટથી બનતા હોટ ડોગ, ડેલી મીટ, પેકેજ્ડ બોલોગ્ના, બીફ જર્કી, પેપરોની તથા અન્ય વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. WHOએ પ્રોસેસ્ડ મીટને ગૃપ 1 કાર્સિનોજેન કેટેગરીમાં રાખ્યું છે, જેથી પ્રોસેસ્ડ મીટના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ