બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Vishnu
Last Updated: 08:55 PM, 14 February 2022
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. અમેરિકાના હસ્તક્ષેપ બાદ પણ મામલે ઠંડો નથી પડ્યો.ત્યારે વૈશ્વિક સ્તરે ઉભા થયેલા આ ઘર્ષણના કારણે યુક્રેનમાં રહેતા અનેક વિદેશીઓ મુશ્કેલીમાં મુકાયા છે.યુદ્ધના ઉંબરે ઉભેલા યુક્રેનમાં ગુજરાતના 5 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ હોવાની વાત સામે આવી છે.ચર્ચા એવી પણ છે કે કેટલાક વિદ્યાર્થીઓને દેશ છોડી દેવાનું કહી દેવામાં આવ્યું છે, ત્યારે યુક્રેનમાં હાલમાં શું છે સ્થિતિ તે જાણીશું ત્યાં રહેતા ગુજરાતી વિદ્યાર્થી પાસેથી
5 હજાર ગુજરાતી વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા
યુક્રેન અને રશિયા વચ્ચે તંગદિલી ચરમસીમાએ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. સમગ્ર દેશના 18,000 વિદ્યાર્થીઓમાંથી અત્યારે ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતના આશરે 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.યુક્રેનમાં તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે.ફ્લાઈટો રદ થતા વિદ્યાર્થીઓ પરત આવી શકે તેવી સ્થિતિમાં નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વાલીઓની રજૂઆત
આથી બરોડાથી યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત ગુજરાતમાં પરત લાવવામાં આવે તેવી માગ કરી હતી.આપને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેનની જે યુદ્ધની પરિસ્થિતિ છે.તેને ધ્યાનમાં લઈને યુક્રેનની કોલેજના સત્તાધીશો દ્વારા પણ વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે પોતાના દેશ અને વતનમાં પરત ફરવાની સૂચના આપી દેવામાં આવી છે, જો કે, યુક્રેનમાં તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. જેથી તમામ વિદ્યાર્થીઓ અત્યારે યુક્રેનમાં ફસાયા છે.
ગુજરાતી વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવામાં આવશે -વાઘાણી
યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાવા મામલે મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્ક છે. ગુજરાતી વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવામાં આવશે જેના પ્રયાસના ભાગ રૂપે મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વિદેશ વિભાગ સાથે સંપર્કમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર