બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગર નજીક રાયપુર કેનાલમાં દુર્ઘટના, બે યુવકોના ડૂબી જવાથી મોત
Last Updated: 03:12 PM, 30 March 2026
ગાંધીનગર જિલ્લાના દેહગામ નજીક પસાર થતી રાયપુર કેનાલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ બંને યુવકો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી હતા.
ADVERTISEMENT

ભારે પ્રવાહના કારણે બંને ડૂબી ગયા
ADVERTISEMENT
મળતી વિગતો અનુસાર, પારિવારિક ઝઘડાના પગલે એક યુવકે ગઈકાલે ગુસ્સામાં આવી કેનાલમાં ઝંપલાવ્યું હતું. યુવકને બચાવવા તેનો ભાઈ પણ તરત જ કેનાલમાં કૂદી પડ્યો, પરંતુ પાણીના ભારે પ્રવાહને કારણે બંને ડૂબી ગયા હતા.

ADVERTISEMENT
બે યુવકોના મૃતદેહ મળી આવ્યા
ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા યુવકનો શોધખોળ દરમ્યાન મૃતદેહ મળી આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ, 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટાની આગાહીસમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ
સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.