બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / બંધારણ વિશેષજ્ઞ અને પદ્મ ભૂષણ ડો. સુભાષ કશ્યપનું અવસાન, 97 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાત / બંધારણ વિશેષજ્ઞ અને પદ્મ ભૂષણ ડો. સુભાષ કશ્યપનું અવસાન, 97 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ

Nidhi Panchal

Last Updated: 03:23 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના બંધારણીય અને સંસદીય ક્ષેત્ર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પદ્મ ભૂષણથી સન્માનિત અને દેશના અગ્રણી બંધારણીય નિષ્ણાત ડૉ. સુભાષ સી. કશ્યપનું 97 વર્ષની વયે અવસાન થયું છે

ભારતના જાણીતા બંધારણીય નિષ્ણાત, રાજકીય વિદ્વાન અને સંસદીય બાબતોના અગ્રણી જાણકાર ડૉ. સુભાષ સી. કશ્યપનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમણે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટ અને હૃદય રોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનથી દેશે બંધારણ, સંસદીય પ્રક્રિયા અને જાહેર જીવનના એક મહાન વિદ્વાનને ગુમાવ્યો છે.

padmabhushan

જન્મ 10 મે, 1929ના રોજ થયો

ડૉ. સુભાષ સી. કશ્યપનો જન્મ 10 મે, 1929ના રોજ થયો હતો. તેમણે પોતાના લાંબા અને ગૌરવશાળી કારકિર્દી દરમિયાન ભારતીય સંસદમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી હતી. તેઓ 1984થી 1990 દરમિયાન 7મી, 8મી અને 9મી લોકસભાના મહાસચિવ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સંસદીય પ્રક્રિયાઓને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

1953માં સંસદ સચિવાલયમાં પોતાની કારકિર્દી

તેમણે 1953માં સંસદ સચિવાલયમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 37 વર્ષ સુધી ભારતીય સંસદ સાથે જોડાયેલા રહ્યા હતા. બંધારણ, સંસદીય પ્રક્રિયા અને બંધારણીય કાયદા અંગેની તેમની ઊંડી સમજણને કારણે તેઓ દેશના અગ્રણી અધિકારીઓમાં સ્થાન પામ્યા હતા. તેમના માર્ગદર્શન અને જ્ઞાનનો લાભ અનેક રાજકીય નેતાઓ, વિદ્વાનો અને કાનૂની નિષ્ણાતોએ લીધો હતો.

ના વડા તરીકે પણ સેવા

ડૉ. કશ્યપ જીનીવા સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પાર્લામેન્ટરી ડોક્યુમેન્ટેશન (IPU) ના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ ભારત સરકારના પંચાયતી રાજ કાયદા અને સંસ્થાઓ માટે માનદ બંધારણીય સલાહકાર તરીકે પણ જોડાયેલા રહ્યા હતા. દેશના શાસન અને લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તેમણે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો : જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું અવસાન, ઘણા સમયથી લિવરની બીમારીથી પીડિત હતા, કલાકારોએ શોક વ્યક્ત કર્યો

મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી

તેમણે બંધારણની કામગીરીની સમીક્ષા કરવા માટે રચાયેલા રાષ્ટ્રીય આયોગના સભ્ય તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. સાથે જ તેઓ આ આયોગની મુસદ્દા અને સંપાદકીય સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. બંધારણીય સુધારાઓ અને સંસ્થાકીય વિકાસમાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાહેર જીવન અને સંસદીય ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2015માં તેમને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેઓ લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય બાર એસોસિએશન (INBA) ના પ્રમુખ તરીકે પણ સેવા આપતા રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Constitutional Expert Subhash C Kashyap Padma Bhushan
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ