બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલ તથા અમદાવાદના મેયરને ગૃહમંત્રી અમિત શાહે લગાવ્યો ફોન, જાણો કેમ
Last Updated: 04:38 PM, 4 June 2026
Cases diarrhea and vomiting in Ghatlodia-Goa: અમદાવાદના થલતેજ અને ગોતા વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. 4 દિવસથી પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતા ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. ઘાટલોડિયા અને ગોતામાં રોગચાળાની પરિસ્થિતિ વિશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે CM ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ સાથે વાત કરી છે.
ADVERTISEMENT
અમિત શાહે કમિશનર, આરોગ્ય અને પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના આપી છે. જરૂરી તમામ પગલા લઈને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આરોગ્ય વિભાગની 40 ટીમ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે શરૂ કરાયો છે.

ADVERTISEMENT
નોધનીય છે કે, મેઘા સીટી અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર જેમાં થલતેજ અને ગોતા વોર્ડ આવે છે. જ્યાં પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસો વધ્યા છે. વંદે માતરમ્ ફ્લેટમાં પણ પીવાના પાણીની સમસ્યાઓ છે. ઘાટલોડિયા વિસ્તારના થલતેજ અને ગોતા વોર્ડમાં આવતી સોસાયટીના રહીશો છેલ્લા 4 દિવસથી દૂષિત પાણી પીવા મજબૂર છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : અમિત શાહના એક આદેશથી ગુજરાતભરમાં ઘૂસણખોરો સામે તવાઇ, રૂપિયા પહોંચતા બાંગ્લાદેશ
આકાંક્ષા ફ્લેટના રહીશોએ શુક્રવારે પાણીને લઇ ફરિયાદ કરી હતી. બાદમાં ચેરમેન-સેક્રેટરી પાણી ચેકિંગ કરવા ગયા ત્યારે ગટરનું પાણી મિક્સ થયાનું જાણવા મળ્યું હતું. વિનાયક બંગલોઝમાં પણ દૂષિત પીવાના પાણીની સમસ્યા છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નર્મદાના પીવાના પાણી સાથે ડ્રેનેજનું ગંદુ પાણી મિક્સ થવાથી છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી અને પેટ સંબંધિત બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.