બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three brothers brutally murdered a middle-aged man in Surendranagar

ક્રિમિનલ / સુરેન્દ્રનગરમાં ત્રણ ભાઈઓની ક્રુરતા, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને હાથ કાપી નાખ્યો, મચી સનસની

Dinesh

Last Updated: 10:29 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી પાસે જૂની અદાવતમાં એક આધેડની ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ, પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો રોષ રાખી ત્રણ સગાભાઈઓએ મળી આધેડની હત્યાને અંજામ આપ્યો

  • સુરેન્દ્રનગરમાં ત્રણભાઈઓએ ક્રુરતાપૂર્વક આધેડની હત્યા કરી
  • તીક્ષ્ણ હથિયારોના ઘા મારી મૃતકનો એક હાથ પણ કાપી નાખ્યો
  • જૂની અદાવતમાં મહેબુબ મુલતાનીની હત્યા કરાઈ


સુરેન્દ્રનગર જિલ્લો ક્રાઇમ નગરી બન્યો છે. છાસવારે ફાયરિંગ,ખંડણી, હત્યા અને બળત્કાર તેમજ ચોરી-લૂંટ સહિતના ગુના ખુલ્લેઆમ બની રહ્યા છે. કાયદા અને વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ખૂનીખેલ ખેલાયો છે, ત્રણ ભાઈઓએ ભેગા મળી ક્રુરતાપૂર્વક ગુનાને અંજામ આપ્યો છે.

સુરેન્દ્રનગરમાં ત્રણભાઈઓએ ક્રુરતાપૂર્વક આધેડની હત્યા કરી
સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી પાસે જૂની અદાવતમાં એક આધેડની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવાતા ચકચાર મચી છે. પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો રોષ રાખી ત્રણ સગાભાઈઓએ મળી આધેડની હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓએ ક્રુરતા પૂર્વક તીક્ષ્ણ હથિયારોના ઘા મારી મૃતકનો એક હાથ પણ કાપી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રુરતાપૂર્વક મહેબુબ પર તૂટી પડ્યા હતા
મહેબુબ મુલતાની ગતરાત્રિએ એક સામાજિક પ્રસંગમાં જમાવા માટે ગયા હતા ત્યાં દિલીપસિંહ, ચેતનસિંહ અને રવિવાજ સિંહ નામના ત્રણ ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે જ ત્રણેય ભાઈઓ તીક્ષણ હથિયારો લઈને મહેબુબના ઘર પાસે પહોંચ્યા હતા અને ક્રુરતાપૂર્વક મહેબુબ પર તૂટી પડ્યા હતા. આરોપીએ એ હદે હુમલો કર્યો હતો કે મહેબુબનો એક હાથ પણ કપાઈ ગયો હતો.

જૂની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો
મહેબુબ મુલતાનીને પાંચ વર્ષ પહેલા દિલીપસિંહ ઝાલા, ચેતનસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઝાલા નામના ત્રણ ભાઈઓ સાથે ઝઘડો થયો હતો. જે તે સમયે મહેબુબ મુલતાની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો.

મૃતકની પત્નીને પણ ઈજા પહોંચી
રાત્રિના સમય બનેલા આ બનાવમાં મૃતક મહેબુબની પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે તેમની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ હત્યાને અંજામ આપનારા ત્રણેય ભાઈઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ