બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / ભારત / Politics / રાહુલ ગાંધી ચૂંટણી લડશે, તો પ્રિયંકા ગાંધી કેમ નહીં? જયરામ રમેશે કર્યો ખુલાસો, જણાવ્યું કારણ
Last Updated: 10:54 AM, 4 May 2024
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી પર સર્જાયેલા સસ્પેન્સનો અંત લાવી દીધો છે. વાત જાણે એમ છે કે, રાહુલ અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડશે. અમેઠીથી પાર્ટીએ કેએલ શર્માને સ્મૃતિ ઈરાની સામે મેદાનમાં ઉતાર્યા છે. આ દરમ્યાન પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પાર્ટી ઈચ્છતી હતી કે રાહુલ અને પ્રિયંકા આ સીટો પરથી ચૂંટણી લડે. પરંતુ પ્રિયંકાએ ચૂંટણી ન લડવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ એ છે કે, તે કોંગ્રેસની 'સુપરસ્ટાર' પ્રચારક છે જે ભાજપ સામે જોરદાર ટક્કર આપી રહી છે.
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધી કેમ ચૂંટણીથી દૂર ?
ADVERTISEMENT
જયરામ રમેશે જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીનું અમેઠીથી ચૂંટણી ન લડવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ એ છે કે, તે એક સુપરસ્ટાર પ્રચારક છે અને રાષ્ટ્રીય પ્રચારક તરીકે તેમની હાજરી મહત્વપૂર્ણ છે. જો રાહુલ અને પ્રિયંકા બંને ચૂંટણી લડ્યા હોત તો તેઓ પોતપોતાના મતવિસ્તારો સુધી જ સીમિત હોત. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે, રાહુલ રાષ્ટ્રીય સ્તરે પણ પ્રચાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં તેમના કાર્યક્રમો છે પરંતુ તેમણે રાયબરેલીમાં પણ પ્રચાર કરવો પડશે. પ્રિયંકા ગાંધી અમારા સૌથી શક્તિશાળી પ્રચારક છે. તે મોદી અને શાહને તેમની જ ભાષામાં જવાબ આપે છે. રાજીવ ગાંધી અને એસ્ટેટ ડ્યુટી નાબૂદી અંગે વડા પ્રધાનની વાહિયાત ટિપ્પણીઓ પ્રત્યેની તેમની પ્રતિક્રિયાએ મોદીને સંપૂર્ણપણે નિરાશ કર્યા. મને નથી લાગતું કે જ્યારે હું આવું કહું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ કે રાહુલ મારી સાથે અસંમત થશે.
પ્રિયંકા ગાંધી ભાજપના હુમલાઓનો જવાબ આપવા સક્ષમ
આ સાથે જયરામ રમેશે ઉમેર્યું કે, પાર્ટી ઈચ્છતી હતી કે પ્રિયંકા અને રાહુલ બંને ચૂંટણી લડે. પરંતુ વાસ્તવમાં મને અને પાર્ટીના ઘણા લોકો માટે તે સ્પષ્ટ હતું કે, PM મોદીએ પ્રચારને સંપૂર્ણપણે અલગ સ્તરે લઈ જવાથી પરિવાર, ઈન્દિરા અને રાજીવ ગાંધી પર હુમલો કર્યો છે. એટલે પ્રિયંકા ભાજપના હુમલાઓનો જવાબ આપવા સક્ષમ છે. તે આખા દેશમાં પ્રચાર કરી રહી છે. સ્વભાવે રાહુલ અસમાનતા, બંધારણ અને અન્ય નીતિ વિષયક મુદ્દાઓ પર વાત કરે છે. પ્રિયંકા રાજકારણ માટે બનાવવામાં આવી છે અને તે દરેક રીતે સ્વાભાવિક છે. લોકો સાથે તેણીનું જોડાણ, તેણીની પ્રચાર શૈલી, તેણીનું વ્યક્તિત્વ તેથી તે ક્યારે ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરશે તે સમયની વાત છે. તે રાજકારણમાં સંપૂર્ણ રીતે સંકળાયેલા છે આપણે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ.
નોમિનેશનના છેલ્લા દિવસ સુધી સસ્પેન્સને લઈ શું કહ્યુ ?
નોમિનેશનના છેલ્લા દિવસ સુધી ઉમેદવારોની જાહેરાતની લઈ જયરામ રમેશે કહ્યું કે, કોઈ વિલંબ થયો નથી. ગત ચૂંટણીની વિગતો પર નજર કરશો તો ખબર પડશે કે છેલ્લા દિવસે ગાંધી પરિવારે ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા દિવસે કરવામાં આવેલી જાહેરાતને કારણે લોકોમાં કોઈ નકારાત્મક સંદેશો નથી જઈ રહ્યો આ તમામ હેડલાઈન્સ ભાજપ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે કહ્યુ કે, વડાપ્રધાન મોદી અહીં-ત્યાંથી એક-એક લાઈન ઉપાડી રહ્યા છે અને દરેક લાઈનને વિકૃત કરી રહ્યા છે. તે સ્પષ્ટ છે કે, મોદી આને હિન્દુ-મુસ્લિમ લડાઈમાં ફેરવી રહ્યા છે. આ બતાવે છે કે વડાપ્રધાન પોતાની પીચ પર રમત રમવા માંગે છે અને તે સાંપ્રદાયિક પીચ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT