બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / This happened suddenly in the plane flying at thousands of feet the flight to Delhi had to be diverted to London
Kishor
Last Updated: 11:58 PM, 20 February 2023
મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહ્યુ હતુ. આ સફર માટે અંદાજીત સમયની વાત કરીએ તો ૧૨ કલાક જેટલો સમય લાગતો હોય છે પરંતુ સોમવારે ન્યૂયોર્કથી ઉપડેલી ફ્લાઈટ નોર્વે એરસ્પેસ પર પહોચી ત્યારે અચાનક ઈમરજન્સીની સ્થિતિ ઉભી થતાં તાત્કાલીક ધોરણે તેને બ્રિટનના લંડનમાં ઉતારવામાં આવી હતી.
#UPDATE | AI-102 from New York to New Delhi has been diverted to London due to a medical emergency onboard. Our ground staff at Heathrow have been alerted and preparations have been made to evacuate the individual concerned to hospital: Air India official to ANI pic.twitter.com/dOOueecnoM
— ANI (@ANI) February 20, 2023
એર ઈન્ડિયા ન્યૂયોર્ક - દિલ્હી ફ્લાઈટ સોમવારે આવી રહ્યુ હતુ. ન્યૂયોર્કથી દિલ્હી પહોચતા અંદાજીત ૧૨ કલાક જેટલો સમય લાગે છે પરંતુ આ ફ્લાઈટ જ્યારે નોર્વેના એરસ્પેસ આસપાસ પહોચી ત્યારે વિમાનમાં એક મેડિકલ ઈમરજન્સી ઉભી થઈ હતી. આ વાતની જાણ તુરંત એર ટ્રાફિક કંટ્રોલને કરવામાં આવી હતી. અને ત્યાર બાદ તે ફ્લાઈટને લંડનમાં લેન્ડિંગ કરવાની સૂચના મળતા તે ફ્લાઈટને લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામા આવી. મળતી માહિતી પ્રમાણે એક યાત્રીની તબિયત બગડવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફલાઈટમાં ૩૫૦થી વધુ યાત્રીકો હતા.
ન્યુઝ એજન્સી પીટીઆઈના રીપોર્ટ પ્રમાણે
બ્રિટનના લંડનમાં કરાવવામાં આવેલા ઈમરજન્સી લેન્ડિંગની વિગતની વાત કરીએ તો હજુ સુધી એર ઈન્ડિયા કે ડીજીસીએ એટલે કે ડિરેકટોરેટ જનરલ ઓફ એવિએશન દ્વારા પણ જાહેર કરવામાં આવી નથી. ન્યુઝ એજન્સી પીટીઆઈના રીપોર્ટ પ્રમાણે બિમાર યાત્રીને લંડનના હેથ્રો એરપોર્ટ પર સારવાર માટે ઉતારી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ આ પ્લેને ફરી દિલ્હી માટે ઉડાન ભરી લીધી છે. મહત્વનું છે કે અચાનક કરવામા આવેલા ઈમરજન્સી લેન્ડિંગના કારણે આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતા છ થી સાત કલાક મોડી પહોચશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ