બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Surbhi became a Sultana in Bageshwar Dham, accepted Dhirendra Shastri as a brother

ધર્મ પરિવર્તન / બાગેશ્વર ધામમાં સુલતાના બની ગઈ સુરભિ, ધીરેન્દ્ર શાસ્ત્રીને માની લીધા ભાઈ, ધર્મને લઈને કહી આ વાત

Priyakant

Last Updated: 12:42 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં એક મુસ્લિમ મહિલા સુલ્તાનાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને સુરભિ દાસી બની ગઈ

  • બાગેશ્વર ધામમાં સુલતાના બની ગઈ સુરભિ
  • સુરભિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને માની લીધા ભાઈ
  • હિંદુ ધર્મથી સારો કોઈ ધર્મ હોઈ શકે નહીં: સુરભિ 

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવસોમા સતત ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. તેમણે ગઇકાલે કહ્યું કે, આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે. બોઝે એક સૂત્ર આપ્યું હતું, પરંતુ આજે આપણે એક નવું સૂત્ર આપ્યું છે. તમે સારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ. આ દરમ્યાન હવે તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં એક મુસ્લિમ મહિલા સુલ્તાનાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને સુરભિ દાસી બની ગઈ. 

શું છે સમગ્ર મામલો 
બાગેશ્વર ધામમાં તાજેતરમાં જ એક એક મુસ્લિમ મહિલા સુલ્તાનાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ મહિલાએ હિન્દુ ધર્મ સ્વીકારી સુરભિ દાસી બની ગઈ.  જોકે આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમને સ્ટેજ પર જ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સવાલોના જવાબ આપવાની સાથે સુલ્તાનાએ કહ્યું કે, હિંદુ ધર્મથી સારો કોઈ ધર્મ હોઈ શકે નહીં. આ ધર્મમાં ભાઈ-બહેનના લગ્ન નથી. ટ્રિપલ તલાક નથી, સિંદૂરનું મહત્વ છે.

શું કહ્યું સુરભિએ ? 
ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં સુરભિબનેલી મહિલાએ કહ્યું, "હિંદુ ધર્મ શ્રેષ્ઠ છે. હું છત્તીસગઢના બિલાસપુરની છું. મારા પિતાનું નામ આમિર ખાન છે. મારે ત્રણ ભાઈઓ છે. મારા પરિવારના સભ્યોએ મને ત્યજી દીધી છે કારણ કે, હું મૂર્તિઓની પૂજા કરું છું. પરિવારના સભ્યો કહે છે કે, તું મુસ્લિમ ધર્મના નામે કલંક છે, જો તું મરી જશે તો નરકમાં જશે. મને આ બાબતોની કોઈ પરવા નથી.

હિન્દુ ધર્મ એ સભ્યતા અને સંસ્કૃતિ
ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિલાને પૂછે છે કે, તમે હિંદુ ધર્મ કેમ અપનાવવા માંગો છો? જેના જવાબમાં મહિલાએ જવાબ આપ્યો, હિંદુ ધર્મથી સારો કોઈ ધર્મ હોઈ શકે નહીં. હિંદુ ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારોનો ધર્મ છે. આ ધર્મમાં ભાઈ-બહેનના લગ્ન નથી. આ ધર્મમાં છૂટાછેડાથી મહિલાઓનું જીવન બરબાદ થતું નથી. આમાં એકવાર લગ્ન છે અને સિંદૂર મહત્વપૂર્ણ છે.

મહિલાએ કહ્યું હું તમને ભાઈ બનાવવા માંગુ છું
મહિલાના આ શબ્દો પછી ધીરેન્દ્ર શાસ્ત્રી પૂછે છે, તમને અહીં કોઈએ બોલાવ્યા છે?’ તેના પર તે કહે છે કે, તે પોતાની મરજીથી અહીં આવી છે. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમનું સ્વાગત કર્યું. ત્યારે તે કહે છે, હું તમને મારો ભાઈ બનાવવા માંગુ છું અને રાખડી બાંધવા માંગુ છું. આ પછ  મહિલાએ જોરદાર અવાજમાં જય શ્રી રામ અને બાગેશ્વર ધામની જય કહીને પોતાની વાત પૂરી કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ