બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Supreme Court proposes setting up committee of three former HC judges to look into relief and rehabilitation in Manipur.

મહિલાઓનો ન્યાય / VIDEO : મણિપુર હિંસા મામલે સુપ્રીમનો મોટો નિર્ણય, હવે કરશે આ કામ, DGP દોડતાં દોડતાં આવ્યાં કોર્ટમાં

Hiralal

Last Updated: 04:54 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે ત્રણ જજોની એક કમિટી બનાવીને પોતાની રીતે તપાસ અને દેખરેખ રાખવાનો નિર્ણય લીધો છે.

  • મણિપુર હિંસા મામલે સુપ્રીમ ખૂબ ચિંતિત
  • પોતાની રીતે કમિટી બનાવીને તપાસનો લીધો નિર્ણય
  • સીબીઆઈ અને પોલીસથી અલગ કરશે તપાસ 

સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસા કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે હિંસાના મામલા સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ કરવા અને માનવીય સુવિધાઓ આપવા માટે હાઈકોર્ટના ત્રણ પૂર્વ જજોની એક કમિટી બનાવી છે. આ સમિતિ સીબીઆઈ અને પોલીસ તપાસથી અલગ કેસોની દેખરેખ રાખશે. સુપ્રીમની કમિટીમાં જસ્ટિસ ગીતા મિત્તલ, જસ્ટિસ આશા મેનન અને જસ્ટિસ શાલિની પાંસકર જોશી સામેલ છે જે મહિલાઓ સાથે સંબંધિત ગુનાઓ અને અન્ય માનવતાવાદી બાબતો અને સુવિધાઓ પર નજર રાખશે.

કેન્દ્રના વકીલે શું દલીલો આપી 
સોમવારે સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું, અમે જમીન પરની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે સૌ શાંતિ પુનઃસ્થાપિત કરવા ઇચ્છીએ છીએ. કોઈપણ નાની ભૂલની ખૂબ ઊંડી અસર થઈ શકે છે. વકીલ ઈન્દિરા જયસિંગે કહ્યું કે આપણે કાર્યવાહીને બે ભાગમાં વહેંચી દેવી જોઈએ. પહેલું, જે ગુનાઓ થયા છે તેની યોગ્ય તપાસ અને બીજું, ભવિષ્યમાં આવું કંઈ ન થાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ. તપાસ માટે કોર્ટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક પંચની રચના કરવી જોઈએ અથવા તેની દેખરેખ હેઠળ તપાસ કરવી જોઈએ. મણિપુર સરકાર તરફથી એટોર્ની જનરલે કહ્યું કે ગુનાઓની તપાસ માટે 6 જિલ્લાઓ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બનેલી છ એસઆઈટીની રચના કરવામાં આવી છે.

અરજદારોના વકીલે શું કહ્યું 
અરજદારોના વકીલ વૃંદા ગ્રોવરે જણાવ્યું હતું કે આઈપીસીની કલમ 6એ હેઠળ પણ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી, જે અધિકારીઓને કાર્યવાહી ન કરવા માટે જવાબદાર બનાવે છે.

સુપ્રીમ મણિપુર મામલે કરી રહી છે મેરાથોન સુનાવણી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા અને મહિલાઓ સામેના અત્યાચારોથી ખૂબ ચિંતિત થઈ છે અને તેણે આ મામલે મેરાથોન તપાસ કરી રહી છે. હવે સુપ્રીમ કોર્ટે પોતાની રીતે કમિટી બનાવીને જાતે દેખરેખ રાખવાનો નિર્ણય લીધો છે. 

મણિપુરના ડીજીપી સુપ્રીમમાં હાજર રહ્યાં
સુપ્રીમના આદેશના પગલે મણિપુરના ડીજીપી આજે કોર્ટમાં હાજર રહ્યાં હતા અને તેમણે ચીફ જસ્ટિસ સમક્ષ પોતાનો રુબરુ જવાબ નોંધાવ્યો હતો. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ