બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Stones pelted on 2 vehicles of pilgrims near Ambaji, call for help on emergency number

અસામાજિક તત્વોનો ત્રાસ / અંબાજી નજીક યાત્રિકોના 2 વાહનો પર પથ્થરમારો, ઈમરજન્સી નંબર પર લગાવી મદદની ગુહાર

Malay

Last Updated: 10:46 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીના પાંછા નજીક યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો થતાં વાહનચાલકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. હાલ આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

 

  • અંબાજી નજીક યાત્રિકોની ગાડીઓ પર થયો પથ્થરમારો
  • અજાણ્યા તત્વોએ ગાડી પર કર્યો અચાનક પથ્થરમારો
  • વાહનચાલકોએ ગાડી ઉભી રાખી ઇમરજન્સી નંબર પર માંગી મદદ

અંબાજી-દાંતા માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અંબાજીના પાંછા નજીક હાઈવે પર યાત્રિકોની ગાડી પર અજાણ્યા શખ્સો દ્વારા અચાનક પથ્થરમારો કરાતા દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. વાહનચાલકો દ્વારા ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માંગતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

ગાડીઓ પર અજાણ્યા શખ્સોએ અચાનક પથ્થરમારો કર્યો 
મળતી માહિતી અનુસાર, અંબાજી-દાંતા માર્ગ પર ગઈકાલે રાત્રે વાહનો પર પથ્થરમારાની ઘટના બની હતી. અંબાજીથી માં જગદંબાના દર્શન કરીને પરત ફરી રહેલી બે ગાડીઓ પર પાંછા નજીક અજાણ્યા શખ્સોએ અચાનક પથ્થરમારો કર્યો હતો. ગાડી પર અચાનક પથ્થરમારો થતાં ગાડીમાં સવાર લોકોમાં ભય વ્યાપી ગયો હતો. 

ઈમરજન્સી નંબર પર ફોન કરી માંગી મદદ
પથ્થરમારાને લઈને કારચાલકોએ ગાડી ઉભી રાખીને ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. જેથી તાત્કાલિક સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, સદનસીબે ગાડી પર પથ્થરમારો થતાં કોઈ જાનહાની થઈ નથી. 

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બની હતી સમાન ઘટના
આપને જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. થોડા મહિના અગાઉ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને ખેડાની વચ્ચે પસાર થતા વાહનો ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચથી છ જેટલા વાહનોના કાચ તુટી ગયા હતા. જે બાદ પોલીસે આ મામલે તપાલનો ધમઘમાટ શરૂ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ