બ્રેકિંગ ન્યુઝ
VTV / Snow falls when the air temperature is -9 degrees Celsius or colder
Sanjay Vibhakar
Last Updated: 01:16 PM, 7 February 2024
ADVERTISEMENT
જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડનાં કેટલાક વિસ્તાઓમાં બરફ પડવાનું શરૂ થઈ ગયું છે. આ વર્ષે પહાડી વિસ્તારમાં હિમવર્ષા ખૂબ મોડી શરૂ થઈ છે. અમુક વિસ્તારોમાં જબરદસ્ત બરફ પડવાને કારણે ત્યાંનું જનજીવન ખોરવાઇ ગયું છે. મેદાની વિસ્તારનાં લોકો હાલ બરફની મજા લેવા માટે નીકળી પડ્યા છે. તમે પણ ક્યારેક બરફ પડતાં જોયો હશે. ત્યારે તમને થતું હશે કે આકાશમાંથી બરફ કેવી રીતે પડે છે. જાણો હિમવર્ષા કેવી રીતે થાય છે.
ADVERTISEMENT
હિમવર્ષા કેમ થાય છે
સૂરજની કિરણોની ગરમીને કારણે સાગર-મહાસાગર, નદીઓ, કુવા અને તળાવમાંથી પાણી કુદરતી રીતે વરાળ બનીને ઉપર તરફ વધતું રહે છે. આ વરાળ વાયુ મંડળની હવાથી હલકી હોય છે. જે આકાશમાં ઉપર તરફ વધતી જ જાય છે. આ વરાળ આગળ જઈને ત્યાંનાં વાતાવરણ પ્રમાણે વાદળનું રૂપ લઈ લે છે. જ્યારે ઉપરનું વાતાવરણ ઠંડુ હોય છે ત્યારે આ વરાળ બરફ બનવા લાગે છે. બરફ બનતા જ તે ભારે થઈ જાય છે અને નીચે પડવા લાગે છે.
પહાડોમાં જ કેમ હિમવર્ષા થાય છે
પહાડી ક્ષેત્રની ઊંચાઈ સમુદ્ર તટથી વધુ હોય છે. સમુદ્ર તટથી ઊંચાઈ વાળા વિસ્તારમાં વર્ષ દરમિયાન વાતાવરણ ઠંડુ જ રહે છે. જે હિમવર્ષાનું મુખ્ય કારણ છે. ઘણી વાર મેદાની ક્ષેત્રમાં પણ હિમવર્ષા ઓલાવૃષ્ટિનાં રૂપમાં પડવા લાગે છે. આ સ્થાન પર બરફનાં ટુકડા ઓઝોન પરતથી થઈને પડે છે, ત્યાં તાપમાનનાં કારણે તે ટુકડા થઈ જાય છે. જ્યારે પહાડોમાં બરફ ફ્લેક્સનાં રૂપમાં પડે છે. ઠંડી હોવાના કારણે ઓગળેલી બરફ ફરી બરફ બનીને જામી જાય છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ટ્રાવેલ પેકેજ બુક કરવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બાબતો ખાસ નોટ કરી લેજો
કેટલાક ઠંડા વિસ્તારોમાં હિમવર્ષા કેમ થતી નથી
વધુ પડતી હિમવર્ષા ત્યારે જ થાય છે જ્યારે જમીનની નજીક હવાનું તાપમાન -9 ડિગ્રી સેલ્સિયસ અથવા ઠંડુ હોય ત્યારે હિમવર્ષા થાય છે. ઠંડી હવા વરાળને પકડી શકે છે. વિજ્ઞાન મુજબ હિમવર્ષા માટે ભેજ જરૂરી છે. એટલા માટે અમુક શુષ્ક પહાડો ઠંડા હોવાના કારણે પણ તેમા ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ત્યાં આગળ ફુંકાતો તેજ પવન બાકી રહેલા ભેજને પણ શોષી લે છે. જેના કારણે ખૂબ જ ઓછી હિમવર્ષા થાય છે.
ADVERTISEMENT
બરફને પીગળતા કેટલો સમય લાગે છે
ધૂળ અને ઘાટા રંગોનાં કણોનો પ્રભાવ બરફનાં આકાર અને પીગળવાની ગતિ પર પડે છે. જો બરફનો રંગ કણોનાં કારણે ઘાંટો છે તો તે વધુ સૂર્યપ્રકાશ શોષી શકે છે. કેટલાક સંશોધન મુજબ બરફની જગ્યાએ ધૂળ જામી જતાં તેને પીગળતા 21-51 દિવસનો સમય લાગે છે. જો તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ હોય તો બરફ 5 થી 18 દિવસમાં પીગળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.