બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Priyakant
Last Updated: 04:32 PM, 28 October 2023
Chandra Grahan 2023 : આજે એટલે કે 28મી ઓક્ટોબરે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષની દૃષ્ટિએ ચંદ્રગ્રહણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે ચંદ્રગ્રહણ એક ભૌગોલિક ઘટના છે પરંતુ પૌરાણિક માન્યતા છે કે, પૂર્ણિમાની રાત્રે રાહુ અને કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ચંદ્ર પર ગ્રહણ થાય છે. આવી સ્થિતિમાં ચંદ્ર ભગવાન પર આવેલ આ સંકટ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
એવું કહેવાય છે કે, ગ્રહણ દરમિયાન તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે, જેના કારણે આપણી આસપાસની દરેક વસ્તુ પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન પૂજા કે ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. ગ્રહણ સમયે મંદિરના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે. ઉપરાંત ઘણા લોકો માને છે કે ગ્રહણ દરમિયાન ચંદ્રને જોવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ચંદ્ર જોવાથી નકારાત્મક અસર થઈ શકે છે.
ચંદ્રગ્રહણ જોવું જોઈએ કે નહીં?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો સૂર્યગ્રહણની ઘટનાને ખુલ્લી આંખે જોવી યોગ્ય નથી, કારણ કે તે તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. જો કે ચંદ્રગ્રહણ જોઈ શકાશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ જોઈ શકાય પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ જોઈ ન શકાય. જ્યારે ધાર્મિક શાસ્ત્રોમાં ગ્રહણનો સમય શુભ માનવામાં આવતો નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન જવું જોઈએ. કારણ કે આ સમય દરમિયાન પ્રકૃતિમાં થોડા સમય માટે એક વિચિત્ર શક્તિ ઉત્પન્ન થાય છે જે તમામ જીવોને અસર કરે છે. તેથી આ સમયે ઘરની બહાર નીકળીને ગ્રહણ જોવાનું સારું માનવામાં આવતું નથી.
ભારતમાં કયા સમયે ચંદ્રગ્રહણ થશે?
આ ચંદ્રગ્રહણ 01:06 AM પર શરૂ થશે અને 02:22 AM પર સમાપ્ત થશે. ભારતમાં આ ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે.
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યાં જોઈ શકાશે?
ભારત ઉપરાંત વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, હિંદ મહાસાગર, એટલાન્ટિક, દક્ષિણ પેસિફિક મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકામાં જોઈ શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime