બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / અજબ ગજબ / Daily Horoscope / shanidev rashi parivartan two times in year 2022

ગોચર / ન્યાયના દેવતા બે વખત કરશે રાશિ પરિવર્તન, શનિની આ ચાલ કોને કરાવશે ફાયદો ? જાણો વિગત

Khyati

Last Updated: 03:40 PM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યાયના દેવતા શનિદેવ પોતાની રાશિ છોડીને કુંભ રાશિમાં કરશે પ્રવેશ, 4 રાશિના જાતકોને જ ફાયદો

  • શનિદેવ વર્ષમાં બે વખત કરશે રાશિપરિવર્તન
  • 4 રાશિના જાતકોને લાભ જ લાભ
  • શનિની વક્રીચાલ અપાવશે ફાયદો


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ એટલે શનિ. શનિ અઢી વર્ષમાં એક જ વાર  રાશિ બદલે  છે. વર્ષ 2021માં શનિએ એક વખત પણ રાશિ બદલી નથી અને હવે 2022માં તે બે વખત રાશિ બદલવા જઈ રહ્યા છે. આ વર્ષે શનિદેવ સામાન્ય ગોચર કરશે. 29 એપ્રિલે પોતાની રાશિ મકર છોડીને તેઓ કુંભમાં પ્રવેશ કરશે.  પરંતુ 5 જૂનથી તેઓ વક્રીચાલ ચાલશે અને ફરીથી તેઓ મકર રાશિમાં પ્રવેશ કરશે.  17 જાન્યુઆરી 2023 સુધી તેઓ મકર રાશિમાં રહેશે. ત્યારબાદ ફરીથી તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

શનિનું એક જ વર્ષમાં બે વખત રાશિ પરિવર્તન 
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. ત્યારે શનિદેવ બે વખત રાશિ બદલશે જેની લોકોના જીવનમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. વર્ષ 2022માં શનિનું બે વાર રાશિ પરિવર્તન 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે.

મેષ રાશિ

  •  શનિનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. 
  • આ રાશિના જાતકોને દરેક બાબતમાં સફળતા મળશે.  
  • પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળશે. 
  • માન-સન્માન મળશે. 
  • નવી નોકરી મળી શકે છે. 
  • કાર્યસ્થળ પર સંબંધો વધુ સારા રહેશે.

વૃષભ રાશિ

  • વૃષભ રાશિના લોકોને 29 એપ્રિલ પછી ભાગ્યનો પૂરો સાથ મળશે. 
  • હવે તમારી મહેનતનું પૂર્ણ ફળ મળવા લાગશે.
  •  તમને જોઈતી નોકરી મળી શકે છે. 
  • બોસ સાથે સારા સંબંધો બનશે. 
  • ઘણી પ્રશંસા અને પ્રમોશન થશે. 


ધનરાશિ 

  • ધનુ રાશિના લોકો માટે આ સમય ઘણો ધન લાવશે. 
  • નાણાકીય પરિસ્થિતિમાં ઘણી મજબૂતી રહેશે. 
  • વિદેશ યાત્રા થઈ શકે છે. 
  • ખાસ કરીને વ્યાપારીઓ માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થશે.


મકર રાશિ

  • મકર રાશિ માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે.
  •  ઘણો ધન લાભ થશે. 
  • કરિયર-બિઝનેસ માટે આ સમય ઘણો સારો રહેશે. 
  • નવી નોકરી મળી શકે છે. 
  • જૂની નોકરીમાં પ્રમોશન-વૃદ્ધિ મળી શકે છે. 
  • આ સમય વ્યાપારીઓ માટે ઘણો લાભ લાવશે. મોટા સોદા મળી શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ