બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Second day of PM Modis Gujarat tour Bharuch, Anand and Ahmedabad will be gifted with crores of development
Kishor
Last Updated: 12:11 AM, 10 October 2022
વિધાનસભાની ચુંટણી અગાઉ વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે આવ્યા છે. ગઇકાલે રવીવારે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાથી તેઑ સીધા જ મોઢેરા ગયા હતા. આ દરમિયાન મોઢેરામાં મોઢેશ્વરી માતાના દર્શન કરી અને સૂર્ય મંદીરની પણ મુલાકાત લીધી હતી. આ વેળાએ મોઢેરા સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાજી મંદિર સુધી રોડ શો પણ યોજાયો હતો. આ સાથે મોઢેરાને સોલાર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કર્યું હતું.
ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
વધુમાં રવીવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવન ખાતે કર્યું હતું. ત્યારબાદ આજે એટલે કે 10 ઓક્ટોબરે સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જ્યાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવશે. ભરૂચમાં રૂપિયા 2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે. જ્યાં ઔધોગિક પાર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તથા 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક1 MSME પાર્ક, 2 બહુસ્તરીય ઔધોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. તેમજ ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્વાટન અને GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1નું ઉદ્ઘાટન, IOCL દહેજ-કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STPના કામોનું લોકાર્પણ અને ઉમલ્લા અશાપાણેથા રોડ મજબૂતીકરણનું લોકાર્પણ કરવામાં આવશે.
બ્લક ડ્રગ પાર્કની વિશેષતા
જામનગરમાં રાત્રી રોકાણ બાદ 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે જશે
વધુમાં સોમવારે બપોરે આણંદના કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન પહોંચશે. જ્યાં શાસ્ત્રી મેદાનના આંગણે વિશાળ જનસભા સંબોધશે. ત્યારબાદ તેઑ અમદાવાદ પરત ફરશે અને અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દિપાવશે. જ્યાંથી સીધા જામનગર જવા રવાના થશે. જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જનસભાનું સંબોધન પણ કરવામાં આવશે. જામનગરમાં રાત્રી રોકાણ બાદ 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે જશે. જ્યાં કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિલ્લી જવા રવાના થશે.
જામનગરમાં PM મોદીના કાર્યક્રમ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime