બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / Sameer Wankhede shared his chat with Shah Rukh Khan, made a shocking claim
Dinesh
Last Updated: 06:25 PM, 19 May 2023
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસ મામલે એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ વચ્ચે શાહરૂખ સાથેની વાનખેડેની ચેટ સામે આવી છે. જે ચેટની વાતચીતને વાનખેડેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી સાથે સામેલ કરી છે. જે ચેટની વાતચીતમાં કહેવાની કોશિશ કરવામાં આવી છે કે, આર્યનની સાથે કંઈ ખોટું થયું નથી. સમીર વાનખેડેએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેણે સિનિયરના આદેશ મુજબ કેસ પર કામ કર્યું હતું.
બિલકુલ ચિંતા કરશો નહીં: વાનખેડે
સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને ચેટમાં તેને મેસેજ કર્યો હતો, જે સંદેશમાં શાહરુખે કહ્યું કે હતું કે, તમે મારા વિશે જે વિચારો અને અંગત માહિતી આપી છે જે માટે હું તમારો પુરતો આભાર માની શકતો નથી. હું સુનિશ્ચિત કરીશ કે તે એવી વ્યક્તિ બને કે જેના પર તમે અને મને બંનેને ગર્વ થઈ શકે. આ ઘટના તેના જીવન માટે એક સારો વળાંક સાબિત થઈ શકે. આભાર, તમે સારા માણસ છો, મહેરબાની કરીને આજે તેના પર દયા કરો, હું વિનંતી કરું છું. વાનખેડેએ જેના જવાબમાં લખ્યું છે કે, બિલકુલ ચિંતા કરશો નહીં.
એફઆઈઆર નોંધવામાં આવી
ચેટમાં શાહરૂખ વતી આગળ લખવામાં આવ્યું છે કે, ભગવાન તમારું ભલું કરે, હું તમને અંગત રીતે મળવું છે અને તમને ગળે લગાડવા માંગુ છું. જ્યારે પણ તમને અનુકૂળ હોય ત્યારે પ્લીઝ મને જણાવશો. સત્ય એ છે કે મેં હંમેશા તમારું રિસ્પકેટ કરી છે. જેના પર વાનખેડેએ જવાબ આપ્યો કે, બિલકુલ ડિયર, આ બધું પૂરું થયા પછી મળીએ. તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં લાંચ લેવાના આરોપોથી ઘેરાયેલા છે. સીબીઆઈ દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
25 કરોડની લાંચ માંગણી કરી હતી
તમને જણાવી દઈએ કે, પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 3 ઓક્ટોબર 2021ના રોજ ગોવા જઈ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં આરોપી ન બનાવવાનો 25 કરોડની લાંચ માંગણી કરી હોવાની વિગતો સામે આવી છે. જે મામલે સીબીઆઈએ તાજેતરમાં વાનખેડે અને અન્ય ચાર સામે એફઆઈઆર નોંધી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો