બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Khyati
Last Updated: 03:04 PM, 20 July 2022
ઘરનું ઘર કોણ ન ઇચ્છે. ત્યારે સરકારે પણ લોકોને ઘરનું ઘર અપાવવા માટે આવાસ યોજનાનો પ્રારંભ કર્યો છે.લોકોએ નાણા પણ ભર્યા અને ઘણાએ તો વ્યાજ પણ ચૂકવ્યુ છતાં ઘરનુ ઘર ન મળે તો ? આવુ જ જોવા મળ્યુ રાજકોટમાં. રાજકોટમાં RUDAના આવાસનો ડ્રો કરવામાં આવ્યો . 4 વર્ષ બાદ પણ રહીશોને પોતાનું ઘર ન મળતા વિરોધે ચઢ્યા.
RUDAની ઢીલી નીતિ સામે સ્થાનિકો રોષે
રાજકોટમાં RUDAના આવાસની સોંપણી ન થતા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંજકા ખાતે છેલ્લા ઘણા સમયથી RUDA દ્વારા આવાસની સોંપણી કરવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાયો. તેઓનું કહેવુ છે કે ડ્રો કરવા સમયે 15 મહિનામાં આવાસ સોંપવાની બાંહેધરી આપવામાં આવી હતી જે વાતને પણ 4 વર્ષ થઇ ગયા તેમ છતાં હજી સુધી આવાસની સોંપણી કરવામાં આવી નથી. રૂડાની ઢીલી કામગીરી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષની લાગણી ફરી વળી હતી.
"12ટકા પેનલ્ટી વસૂલી છતાં આવાસ ફાળવણી માટે ધક્કા ખાવા પડે "
મહત્વનું છે કે મુંજકામાં 2017માં 784 આવાસનો ડ્રો કરાયો હતો. વર્ષ 2017થી અત્યાર સુધી એટલે કે 5 વર્ષ થવા આવ્યા. હવે તો વિધાનસભાની ચૂંટણી પણ આવશે પરંતુ રહીશોને હજી સુધી આવાસની ફાળવણી કરાઇ નથી. જેને લઇને રહીશોએ રૂડા કચેરી ખાતે જઇને વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે રહીશોએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે 2017માં આવાસ ફાળવવામાં આવ્યા. 2019 સુધીમાં અમે હપ્તા પણ ભરી લીધા. વળી હપ્તા ભરવામાં મોડુ થાય તો 12 ટકા સુધી પેનલ્ટી પણ વસૂલી છે તેમ છતાં આજ દિન સુધી આવાસની સોંપણી કરાઇ નથી. આ અંગે અમે અવારનવાર રજૂઆતો કરી. તેઓએ જે પણ ડોક્યુમેન્ટ્સ માગ્યા તે તમામ આપી દીધા . આવાસના 5.50 લાખ ભરવા છતાં પણ અમારે આવાસ મેળવવા કચેરીઓના ધક્કા ખાવા પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
ટી20 વર્લ્ડ કપ / T20 વર્લ્ડ કપમાં રાહુલને ન લેવાયો, સંજૂને અણધાર્યો લાભ, આ રહ્યું મોટું કારણ
India T20 World Cup 2024