બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Kishor
Last Updated: 09:38 PM, 10 September 2023
ભગવાન ભોળાનાથની આરાધનાના શ્રાવણ માણસને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભૌમ પ્રદોષ વ્રત ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા તો એવી પણ છે કે આ વ્રતની અસરથી આશક્ત વસ્તુ પણ શક્ય બની જાય છે. શાસ્ત્રોમાં આ શુભ પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષનું પહેલુ અને છેલ્લું ગણાતુ ભૌમ પ્રદોષ વ્રત 12 સપ્ટેમ્બર 2023ના રોજ એટલે કે આવતા મંગળવારે મનાવવામાં આવશે.
ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ
માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ છે. મહાદેવની પૂજા કરવાથી ભક્તને બજરંગબલીની વિશેષ કૃપા પણ મળે છે, જે પાછળનું કારણ કે હનુમાન ભગવાન શિવના રુદ્રાવતાર છે. તેમાં પણ આ વ્રતના દિવસે ગ્રહો અને નક્ષત્રોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જેના કારણે ભક્તોને બમણો લાભ મળી શકે છે. વ્રતની વાત કરવામાં આવે તો શ્રવણ માસના કૃષ્ણ પક્ષના ભૌમ પ્રદોષ વ્રતના દિવસે મંગળવારે સાંજે 06:30 થી 08:49 સુધી શિવ ઉપાસનાનો શુભ સમય છે. પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્તના 45 મિનિટ પહેલાં અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ પછી મહાદેવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
આ વખતે ભૌમ પ્રદોષ વ્રતના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ અને બુધાદિત્ય યોગનો સંગમ થઇ રહ્યો છે. જેથી આ વિશેષ દિવસે પૂજા કરવાથી ભગવાન પ્રસંન્ન થશે.12 સપ્ટેમ્બર 2023ના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:04 થી રાત્રીના 11.01 સુધી છે. જ્યારે 12 તારીખના રોજ જ શિવ યોગ સવારે 12:14 થી 13 સપ્ટેમ્બર 2023,ના રોજ સવારે 01:12 છે.
વ્રતના દિવસે આટલું કરો
ભૌમ પ્રદોષ વ્રત રાખ્યું હોય આ દિવસે પાણીમાં કેસર નાખીને નહાવું જોઈએ.જેની પાછળની માન્યતા એવી છે કે આમ કરવાથી આર્થિક સંકટમાંથી રાહત મળે છે. કર્જથી છુટકારો મેળવવા આ ખૂબ સારો ઉપાય છે. આ દિવસે માછલીઓને લોટ અને ગરીબોને ભોજન આપવી જોઈએ તથા કપડાં દાન કરવાથી શિવની સાથે હનુમાનજીની પણ કૃપા વરસે છે. સાથે ભૌમ પ્રદોષ વ્રત મંત્રનો જાપ કરવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime