બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dinesh
Last Updated: 01:08 AM, 16 June 2023
બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી.ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર આ બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.
'કચ્છમાં હાલ ભારે પવન ચાલુ છે'
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, કચ્છમાં હાલ ભારે પવન ચાલુ છે તેમજ ચક્રવાતના પાછળના ભાગને કારણે કચ્છમાં વરસાદ ચાલુ છે અને મોરબી અને રાજકોટમાં 40 કિમીની ઝડપે પવન ફૂકાયો છે તેમજ કચ્છમાં છેલ્લા 2 કલાકમાં 78 મીમી વરસાદ થયો છે. 240 અસરગ્રસ્ત ગામોમાં વીજપોલ ધરાશાઈ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચક્રવાતને કારણે માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી બન્યો તેમજ વાવાઝોડાને કારણે 524 ઝાડ પડ્યા, જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા છે
બિપોરજોય ત્રાટકી ચાલ્યું ગયું, તારાજી છોડતું ગયું, રાહત કમિશનરની મોડી રાત્રે પ્રેસ, રજૂ કર્યો વાવાઝોડા બાદનો ચિતાર#CycloneBiparjoy #gujaratcyclone #biporjoycyclone #VTVGujarati pic.twitter.com/lGVZdcNld1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2023
રાહત કમિશનરનું નિવેદન
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી વાવાઝોડાને કારણે 22 જેટલા લોકોને ઈજા થઈ છે તેમજ દક્ષિણ રાજસ્થાન બાજુ વાવાઝોડુ આગળ વધશે અને ઉત્તરગુજરાતમાં રાજસ્થાનમાં થયેલા વરસાદનું પાણી આવશે. તેમણે કહ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. આવતીકાલથી ડેમેજ રિકવરની કામગીરી શરૂ થશે અને આવતીકાલની સ્થિતિ બાદ સેલ્ટર હોમમાં રહેલા લોકોને પાછા મોકલવા પર નિર્ણય થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યાર 118 કીમી સુધીની હવાની ગતી કચ્છમાં પહોચી હતી. સરેરાશ 78 કીમીની ઝડપે કચ્છમાં પવન રહ્યો છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો