બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Khyati
Last Updated: 06:48 PM, 30 March 2022
વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતની રાજનીતિ તેજ બની રહી છે. તેમાં પણ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓ પર હવે જલ્દીથી જ પૂર્ણ વિરામ મુકાઇ શકે છે. કારણ કે હવે આ પાટીદાર આગેવાન કોંગ્રેસમાં જોડાવાનું નક્કી મનાઇ રહ્યું છે. લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસમાં નરેશ પટેલને સર્વોચ્ચ સ્થાન મળે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. તો આ સમગ્ર બાબતે રાજકારણ ગરમાયુ છે. આ અંગે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે કોંગ્રેસ કોને લાવે છે એ એમનો નિર્ણય છે.
નરેશ પટેલ પોતે જાહેરાત ન કરે ત્યાં સુધી કંઇ ન કહી શકાય: જીતુ વાઘાણી
નરેશ પટેલ કઇ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે તેવી હજુ તેમના તરફથી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાને પગલે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસ કોને લાવે છે એ એમનો નિર્ણય છે, કોઇપણ પાર્ટી કોઇને પણ તેમની સાથે જોડી શકે છે. કોંગ્રેસના નેતાઓ ભાજપના લોકો વિશે ખોટી વાતો ફેલાવે છે. બધાને પોતાનો નિર્ણય લેવાનો હક્ક છે. નરેશભાઈ સમાજિક સંસ્થાના અગ્રણી છે, જ્યાં સુધી નરેશ પટેલ પોતે જાહેરાત ન કરે ત્યાં સુધી કંઇ કહી ન શકાય.
નરેશ પટેલનું કોંગ્રેસમાં આગમન નક્કી- ડૉ.હેમાંગ વસાવડા
તો આ તરફ કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ડૉ.હેમાંગ વસાવડા આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે નરેશ પટેલનું કોંગ્રેસમાં આગમન નક્કી. નરેશ પટેલને કોંગ્રેસ તરફ પહેલાથી જ લાગણી છે, તેઓ કોંગ્રેસમાં આવશે તો અનુભવી લીડર કોંગ્રેસમાં આવશે. કેન્દ્રીય નેતાઓ નરેશ પટેલની સતત સંપર્કમાં છે. તેમજ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના મુખ્ય ચહેરા બનશે તેવું મહત્વનું નિવેદન આપ્યું.
નરેશ પટેલ કોંગ્રેસ તરફથી CM પદના ઉમેદવાર બનશે
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ કોંગ્રેસનો CM પદનો ચહેરો હશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ છે. 15 માર્ચના રોજ VTV NEWS દ્વારા અહેવાલ પ્રસારીત કરાયો હતો.
કોંગ્રેસ નરેશ પટેલને ચુંટણી કેમ્પેનિંગ કમિટિના ચેરમેન બનાવશે
સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે, સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત નહીં થાય. કોંગ્રેસ નરેશ પટેલને ચુંટણી કેમ્પેનિંગ કમિટિના ચેરમેન બનાવશે.
આ 3 બેઠકો પર નરેશ પટેલ હશે ઉમેદવાર
વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ માટે બેઠક પણ નક્કી ના સંકેત છે. જેતપુર, ધોરાજી અને ગોંડલ આ ત્રણ બેઠકો પર નરેશ પટેલ ઉમેદવાર હોઈ શકે છે. કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય બેઠક ખાલી કરી દેવા તૈયાર છે.
ઘણા દિવસથી PKની હતી ચર્ચા
થોડા દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસનું કેમ્પેન કરવાની ઈચ્છા છે. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી હતી ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક અનેક બેઠકો બાદ આખરે રાહુલ ગાંધીએ PKને ગુજરાત પ્રચારની કમાન સોંપવાનો નિર્ણય ફાઇનલ કર્યો હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. ખાસ વાત છે કે PKની ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રીથી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો