બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / Ramayana's Sita Dipika Chikhlia reached Ayodhya to visit 'Ramlala', said I will come again
Megha
Last Updated: 09:02 AM, 24 July 2023
લોકો હજુ પણ રામાનંદ સાગરના પ્રખ્યાત ધાર્મિક શો રામાયણને ભૂલ્યા નથી. એ સિરિયલમાં દરેક પાત્ર ભજવનાર એકટર-એક્ટ્રેસ આજે પણ ઘર ઘરમાં ફેમસ છે અને આજે પણ એ કલાકારોને દર્શકો ભગવાનનો દરજ્જો આપે છે. નોંધનીય છે કે શો માં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર કલાકારો ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે હાલ માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી. એમની એ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, સાથે જ એ વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે દીપિકા ભગવાન રામને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
માતા સીતા ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા
દીપિકા ચિખલિયા શનિવારે રામલલાના જન્મસ્થળ અયોધ્યા પહોંચી હતી.આ દરમિયાન તેણે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા અને એ સમયે દીપિકાએ જણાવ્યું કે, તેને પહેલીવાર રામલલાના દર્શન કરવા અયોધ્યા જવાની તક મળી. શ્રી રામના દર્શન કરીને મારું જીવન સફળ થયું. ' એમને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી અને આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.
દીપિકાએ કર્યા પીએમ નરેન્દ્ર મોદીના વખાણ
દીપિકાએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. એક વાતચીતમાં દીપિકાએ કહ્યું, 'PM મોદીએ સત્તામાં આવ્યા પછી, તેમણે સનાતનીઓ માટે ઘણું કર્યું છે અને આ ઘણા સમય પહેલા થઈ જવું જોઈતું હતું પણ 'દેર આયે દુરુસ્ત આયે'. જે સ્થાન ભગવાનનું ક્ષેત્ર છે અને તીર્થસ્થાન છે તેને મહત્વ આપવું જોઈએ.
અયોધ્યા ફરી આવશે
દીપિકાએ કહ્યું, 'રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યા બાદ હું ફરીથી અયોધ્યા આવીશ.'દીપિકાના લુકની વાત કરીએ તો તેણે ડાર્ક મરૂન કલરની બનારસી સાડી પહેરી હતી.આ સાથે તેમના કપાળ પર ચંદનનો ચાંદલો હતો. તે જ સમયે એમને ગળામાં ફૂલોની માળા પણ પહેરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ