બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Bijal Vyas
Last Updated: 10:55 AM, 29 August 2023
Raksha Bandhan 2023 : હોળી દિવાળીની જેમ રક્ષાબંધનનો તહેવાર પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે.આ વર્ષે અધિક માસના કારણે શ્રાવણ માસ બે મહિનાનો હતો જે 31 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર બે દિવસ એટલે કે 30 અને 31 ઓગસ્ટે મનાવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે ભદ્રા આવતી હોવાથી, રાખડી બાંધવાનો શુભ સમય 30 ઓગસ્ટે રાત્રે 9:02 વાગ્યાથી બીજા દિવસે સવારે 7:05 વાગ્યા સુધીનો રહેશે. જેમને ભાઈ નથી તેમણે નિરાશ થવાની જરૂર નથી, જ્યોતિષ જણાવી રહ્યા છે કે, જે બહેનોને ભાઈ નથી તેઓ કોને રાખડી બાંધી શકે છે.
6 ઝાડ-છોડને બાંધી શકો છો રાખડી
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમારો કોઈ ભાઈ ન હોય તો તમે લીમડો, વડ, આમળા, કેળા, શમી અને તુલસીને રાખડી બાંધી શકો છો. આમળા, લીમડો અને વડમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વાસ માનવામાં આવે છે. જો તમે આ વૃક્ષોને રાખડી બાંધો તો ત્રણેય દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. બીજી તરફ, જો તમે તુલસીને રાખડી બાંધો છો, તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. જો શમીના છોડ સાથે રાખડી બાંધવામાં આવે તો મહાદેવ તેનાથી પ્રસન્ન થાય છે અને તમારી રક્ષા માટે વરદાન આપે છે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જો તમે કેળાના ઝાડ પર રાખડી બાંધશો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.
બજરંગબલીને બાંધી શકો છો રાખડી
રક્ષાબંધનના દિવસે બજરંગબલીને રાખડી બાંધવાથી તમારી કુંડળીમાં હાજર મંગલ દોષની નકારાત્મક અસર ધીમે ધીમે ઓછી થાય છે. હનુમાનજીને રાખડી બાંધવાથી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ક્રોધ પર નિયંત્રણ આવે છે.
કળશને બાંધો રાખડી
ધાર્મિક પૌરાણિક કથાઓ કહે છે કે, પૂજાના કલરમાં રાખડી બાંધવી ખૂબ જ શુભ છે. ભગવાન વિષ્ણુ કળશના મુખ પર, ભગવાન શિવ કળશના ગળાના ભાગમાં અને બ્રહ્મદેવ કળશના મૂળ ભાગમાં નિવાસ કરે છે. આ સિવાય કળશની મધ્યમાં માતાની શક્તિઓ બેઠી છે. એટલા માટે જો તમે પૂજાના કળશમાં રાખડી બાંધો છો તો તમને બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા