બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / ગુજરાત / શું છે આ માધવપુરા બેંક કૌભાંડ? જેમાં 23 વર્ષ બાદ ત્રણ આરોપીઓ વિરૂદ્ધ કરાયો ચાર્જફ્રેમ, કેસ ચોંકાવનારો
Last Updated: 11:49 AM, 4 May 2024
અમદાવાદ: માધવપુરા બેંક પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને કૌભાંડ કરવાના કેસમાં 23 વર્ષ બાદ શેરદલાલ કેતન પારેખ સહિત ત્રણ આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરાયો. માધવપુરા મર્કન્ટાઇલ કો.ઓ. બેંક પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને ઠગાઈ કરવાના મામલે કોર્ટમાં 23 વર્ષ બાદ સટ્ટાકિંગ કેતન પારેખ, દેવેન્દ્ર પંડયા અને જગદીશ પંડયા સામે ચાર્જફ્રેમ થયો. વર્ષ 2001માં માધવપુરા બેંક પાસેથી ગેરકાયદેસર રીતે શેરદલાલ કેતન પારેખે આડેધડ કરોડો રૂપિયાની લોન લીધી હતી. જેને લીધે બેંકના 1030 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. આને કારણે ગુજરાતની ઘણી બેંકોને પણ અસર થઈ હતી.
ADVERTISEMENT
વર્ષ 2001માં માધવપુરા બેંકે કેતન પારેખને આડેધડ કરોડો રૂપિયાની લોન આપી હતી, જેમાં હજારો રોકાણકારોના લગભગ 1030 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. કેતન પારેખે બેંકમાંથી કરોડો રૂપિયાની લોન તો મેળવી લીધી, પણ ભરપાઈ કરવા હાથ અધ્ધર કરી દીધા હતા. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. હવે આ કેસમાં સીબીઆઈ સ્પેશીયલ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો. મુંબઈના શેરદલાલ કેતન પારેખ, બેંકના તત્કાલિન એમડી દેવેન્દ્ર પંડ્યા અને જગદીશ પંડ્યા વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો. 23 વર્ષ બાદ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કેસના પાંચ આરોપીઓ મૃત્યુ પામ્યા છે. આ સિવાય મુખ્ય આરોપી કેતન પારેખ કોમાની સ્થિતિમાં હોવાથી કોર્ટમાં હાજર રહ્યા ન હતા. નિચલી કોર્ટે બે આરોપીઓને ડિસ્ચાર્જ કરી દીધા છે. આ કેસમાં હવે આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈ સ્પેશીયલ કોર્ટમાં ટ્રાયલ શરૂ થશે.
ADVERTISEMENT
વર્ષ 2001માં માધવપુરા મર્કન્ટાઇલ કો.ઓ. બેંકે કેતન પારેખને આડેધડ કરોડો રૂપિયાની લોન આપી હતી. આને કારણે બેંકની આર્થિક તરલતાને ફટકો પડ્યો હતો. બેંકે ગેરકાયદે રીતે કેતન પારેખને કરોડોની લોન આપી, જેમાં રોકાણકારોના 1030 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. ઘટના સામે આવતા આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈની તપાસમાં સામે આવ્યું હતું કે કેતન પારેખે યોગ્ય અને પૂરતા દસ્તાવેજો રજૂ કર્યા વિના બારોબાર કરોડો રૂપિયાની ગેરકાયદે લોન લઈને શેરબજારમાં મોટાપાયે રોકાણ કર્યું હતું. કેતન પારેખે સમયસર લોનની ભરપાઈ ના કરી અને બેંકના હજારો રોકાણકારોના પૈસા ડૂબી ગયા.
વધુ વાંચો: પત્નીના અવસાનના ત્રીજા દિવસે જ કામ પર લાગ્યા વડોદરાના ચૂંટણી અધિકારી, ચોતરફ ફરજ નિષ્ઠાના વખાણ
આ સમગ્ર કૌભાંડમાં ગુજરાતની 70થી વધુ સહકારી બેંકોને અસર થઈ અને લાખો રોકાણકારોના નાણા ડૂબ્યા હતા. જો કે કેતન પારેખે 380 કરોડ રૂપિયા ભરીને નીચલી કોર્ટમાંથી શરતી જામીન લીધા હતા. કૌભાંડના 23 વર્ષ બાદ પણ 4600થી વધુ રોકાણકારોના 800 કરોડ લેવાના બાકી છે. બેંકે કેતન પારેખ પાસેથી વ્યાજ સહિત 1500 કરોડ વસુલવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે વ્યાજ ચઢીને આ રકમ 2000 કરોડે પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટે બેંકને નિચલી કોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો હતો.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT