બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / Politics / rajasthan congress set for a big change cabinet ministers will be asked for resignation
Mayur
Last Updated: 10:45 AM, 20 November 2021
છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાનના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ ગ્રૂપમાં ખેંચતાણ વધી રહી છે. એવામાં રાજસ્થાન સરકારમાં મોટા ફેરફાર થવાની શકયતા છે.
મંત્રી પરિષદની બેઠક્
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી નિવાસ પર કેબિનેટ બેઠક્ અને મંત્રી પરિષદની બેઠક્ બોલાવવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ મંત્રીઓનું રાજીનામું માંગી લેવામાં આવે તેવી સંભાવના છે. અને ત્યાર બાદ મંત્રીમંડળનું પુનર્ગઠન થશે અને એવું માનવામાં આવે છે 21 નવેમ્બર બાદ ગહલોત સરકાર મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે.
રાજસ્થાન સરકારના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા અને મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીના નામ સામેલ છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 22 નવેમ્બરે કેબિનેટનું પુનર્ગઠન થઈ શકે છે. સચિન પાયલટ કેમ્પના ધારાસભ્યોને આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
મંત્રીઓ બે હોદ્દા સંભાળતા હતા
આ ત્રણેય મંત્રીઓ બે-બે હોદ્દા ધરાવતા હતા. ત્રણેય પાસે મંત્રીની સાથે પાર્ટી સંગઠનનું પદ પણ હતું. દોતાસરામાં શિક્ષણ મંત્રીની સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીને પંજાબ અને આરોગ્ય મંત્રી રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.
અજય માકન જયપુર ટૂર પર પહોંચ્યા હતા
કોંગ્રેસના નેતા અને પાર્ટીના રાજસ્થાન પ્રભારી અજય માકન શુક્રવારે અચાનક જયપુર પહોંચી ગયા હતા.
તેમની મુલાકાત બાદ રાજકીય અટકળોનો દોર શરૂ થયો હતો. આ વાત પર જોર ત્યારે મુકાયું જ્યારે માકને કહ્યું કે રાજસ્થાનમાં ત્રણ મંત્રીઓએ પદ છોડવાની ઓફર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ