બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Pravin
Last Updated: 04:59 PM, 11 March 2022
પંજાબમાં કારમી હાર બાદ નવજોત સિદ્ધુએ કહ્યું કે, આ ચૂંટણી પરિવર્તન માટેની હતી. લોકોએ એક મહાન નિર્ણય કર્યો છે. લોકોએ સત્તા પરિવર્તન માટે મત આપ્યો છે. વિનમ્ર ભાવે પ્રજાનો આદેશ સ્વીકારવો જોઇએ. પંજાબના ઉત્થાન માટે કામ કરવું પડશે.
'મને નીચો બતાવનારા ખુદ કુવામાં ખાબક્યા'
સિદ્ધૂએ ઇશારાઓમાં ચરણજીતસિંહ ચન્ની પર કટાક્ષ કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, જે લોકો મને નીચો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જુઓ તે તમામ મુખ્યમંત્રી રહી ચૂકેલા લોકો ખુદ જ નીચે આવી ગયા છે અને કુવામાં ખાબક્યા. સાથે જ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ પંજાબની જનતાને અભિંનદન આપે છે કે તેમણે રૂઢિગત રાજનીતિ અને પાર્ટીઓને છોડીને પંજાબમાં એક નવો ઑપ્શન પસંદ કર્યો. પંજાબની રાજનીતિ બદલાવની હતી અને પંજાબના લોકોને અભિનંદન આપું છું કે તેમણે સુંદર નિર્ણય લીધો. જેવું બીજ વાવશો તેવું ફળ મેળવશો.
'સિદ્ધૂ લગામ વગરનો ઘોડો'
ત્યારે પંજાબના ત્રણ પૂર્વ કેબિનેટ મંત્રીઓને સિદ્ધુએ બેલગામ ઘોડા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, સિદ્ધુએ કોંગ્રેસનું પોલિટિકલી મર્ડર કરી નાખ્યું છે અને કોંગ્રેસને બરબાદ કરી દીધી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બહુ પહેલા જ ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસ પાર્ટીની સરકારના કામકાજ પર સવાલ ઉભા કરવા પર સિદ્ધુને બહારનો રસ્તો દેખાડવો જોઇતો હતો.
સિદ્ધુના DNAમાં જ કોંગ્રેસ નથી
પૂર્વે નાયબ મુખ્યમંત્રી સુખજિંદરસિંહ રંધાવાએ કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધુના ડીએનએમાં જ કોંગ્રેસ નથી. તેમણે કોંગ્રેસનું કલ્ચર નથી ખબર. કોંગ્રેસને ભાજપથી સીખ લેવી જોઇએ કે બહારથી બીજી પાર્ટીઓ છોડીને ભાજપમાં આવનારા મંત્રી, ધારાસભ્ય કે સાંસદ ભલે બનાવી દે પરંતુ સંગઠનમાં જૂના ભાજપ નેતાઓને જ જગ્યા આપે. પરંતુ અહીં કોંગ્રેસે તો નવજોતસિંહ સિદ્ધુને અધ્યક્ષ બનાવીને આખી થાળી પિરસીને રાખી દીધી અને તેમણે પોતાની નિવેદનબાજીથી કોંગ્રેસના રાજકારણનું મર્ડર કરી નાખ્યું અને કોંગ્રેસને બરબાદ કરી નાખી. નવજોત લગામ વગરના ઘોડા જેવા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir