બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
VTV / PM Modi took a special selfie with a disabled worker
Dinesh
Last Updated: 08:26 AM, 9 April 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચેન્નાઈની મુલાકાત દરમિયાન ભાજપના દિવ્યાંગ કાર્યકર સાથે ખાસ સેલ્ફી લીધી હતી. પીએમ મોદીએ આ સેલ્ફી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આ ટ્વીટમાં તેમણે દિવ્યાગ કાર્યકરના પણ ખૂબ જ વખાણ કર્યા છે. વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલી આ સેલ્ફીની જોરદાર ચર્ચા થઈ રહી છે. આ સેલ્ફીને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.
A special selfie…
— Narendra Modi (@narendramodi) April 8, 2023
In Chennai I met Thiru S. Manikandan. He is a proud @BJP4TamilNadu Karyakarta from Erode, serving as a booth president. A person with disability, he runs his own shop and the most motivating aspect is - he gives a substantial part of his daily profits to BJP! pic.twitter.com/rBinyDVHYA
PM મોદી લીધી ખાસ સેલ્ફી
PM મોદીએ જેની સાથે ખાસ સેલ્ફી લીધી તે દિવ્યાંગ કાર્યકરનું નામ થિરુ એસ મણિકંદન છે. મણિકંદન ઈરોડના ભાજપના કાર્યકર અને તેઓ બૂથ પ્રમુખ પણ છે. મણિકંદન સાથે સેલ્ફી શેર કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે તેઓ ચેન્નાઈમાં થિરુ એસ. મણિકંદનને મળ્યા હતા. તેઓ ઈરોડના ભાજપના સમર્પિત કાર્યકર અને ભાજપના બુથ પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યા છે.
I feel very proud of being a Karyakarta in a Party where we have people like Thiru S. Manikandan. His life journey is inspiring and equally inspiring his commitment to our Party and our ideology. My best wishes to him for his future endeavours. pic.twitter.com/4S6FryHqCq
— Narendra Modi (@narendramodi) April 8, 2023
PM મોદીએ શુ લખ્યું?
PM મોદીએ લખ્યું છે કે, મણિકંદન એક દિવ્યાંગ વ્યક્તિ છે અને તે એક દુકાન ચલાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પોતાની આવકનો એક ભાગ ભાજપને આપે છે. મણિકંદનના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે આવા કાર્યકર પર મને ગર્વ છે. તેમણે કહ્યું કે, મણિકંદનની જીવનયાત્રા અમારી પાર્ટી અને અમારી વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રેરણાઆપશે.
PM મોદીની હૈદરાબાદ ભેટ
વડાપ્રધાન મોદી શનિવારે હૈદરાબાદ અને ચેન્નાઈના પ્રવાસે હતા. બંને સ્થળોએ તેમણે લગભગ 13700 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. હૈદરાબાદમાં તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી જ્યારે ચેન્નાઈમાં તેમણે નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે તેમણે ચેન્નાઈને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની (ચેન્નઈ-કોઈમ્બતુર) ભેટ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ