બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Hiren
Last Updated: 12:34 AM, 8 February 2021
રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં આજે(સોમવાર) પ્રધાનમંત્રી મોદી જવાબ આપી શકે છે. ત્યારે સૌની નજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પર હશે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ થઇ ચૂકી છે. ખેડૂતો હજુ પણ પ્રદર્શન કરી રહ્યા છે, તેમાં જોવાનું રહ્યું કે પ્રધાનમંત્રી કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાઓ પર શું કહે છે? સૂત્રોનું માનીએ તો પ્રધાનમંત્રી મોદી ખેડૂત આંદોલન પર રાજનીતિ કરનારા પક્ષોને ચેતવણી આપી શકે છે.
છેલ્લા 6 દિવસ ખુબ જ લાભદાયી
સમાચાર એજન્સી પીટીઆઇએ પોતાના રિપોર્ટમાં એક સત્તાવાર નિવેદનના હવાલાથી જણાવ્યું છે કે, આ બજેટ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહીના છેલ્લા 6 દિવસ ખુબ જ લાભદાયી સાબિત થયા છે. આ દરમિયાન ઉચ્ચ સદનમાં 82.10 ટકા કામકાજ થયું. છેલ્લા ત્રણ દિવસોમાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચા જ મુખ્ય કામકાજ થયું. આ દરમિયાન તેમાં 25 પક્ષોના 50 સભ્યોએ આમાં ભાગ લીધો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 20 કલાક અને 34 મિનિટમાં કુલ કામકાજમાં વિગત 3 ફેબ્રુઆરીએ 4 કલાક અને 14 મિનિટ હોબાળામાં બરબાદ થઇ ગઇ હતી.
2 દિવસ સુધી ન થયા પ્રશ્નકાળ અને શૂન્યકાળ
જોકે શુક્રવારે ઉચ્ચ સદનમાં સભ્યોએ કામના નક્કી કરેલા કલાકોની અંદર 33 મિનિટ વધુ કામ કર્યું. વિગત 3 ફેબ્રુઆરીના હોબાળા બાદ 2 દિવસ સુધી પ્રશ્નકાળ અને શૂન્યકાળ નહોતા. પરંતુ શુક્રવારે 1 કલાકનો પ્રશ્નકાળ થયો અને આભાર પ્રસ્તવા માટે વધુ સમય કાઢવામાં આવ્યો. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન(સંશોધન) બિલ, 2021ને વિધેયકની જગ્યા લાવવા માટે આ અઠવાડિયે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ અઠવાડિયે ઉચ્ચ સદનમાં 7 શૂન્યકાળ અને 7 વિશેષ ઉલ્લેખ પણ થયા.
કૃષિ મંત્રીએ કર્યા હતા વિપક્ષ પર પ્રહાર
રાજ્યસભામાં ચર્ચાના અંતિમ દિવસે શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહેવા વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે, તેઓ કાયદાની ખામીઓને જણાવે. કૃષિ મંત્રીએ એમ પણ પૂછ્યું હતું કે કોઇ જણાવે કે આ કૃષિ કાયદામાં કાળું છે શું? તેમણે કહ્યું હતું કે, નવા કૃષિ કાયદાઓને કાળા બતાવી દેવાથી વાત નહી બની શકે અને ન સુધારો થઇ શકે. છેલ્લા 2 મહિનાથી હું ખેડૂતોને પણ એ જ પૂછી રહ્યો હતો. ન ત્યાં જવાબ મળ્યો અને ન તમારી પાસે.
પીએમ મોદીએ કરી હતી આ અપીલ
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કૃષિ મંત્રીએ રાજ્યસભામાં કૃષિ સુધાર કાયદાથી જોડાયેલ પ્રત્યેક પાસાને લઇને વિસ્તારથી માહિતી આપી છે. મારુ વિનમ્ર નિવેદન છ ેકે તેમનું આ ભાષણ જરૂર સાંભળજો. સોમવારે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ નવા કૃષિ કાયદાઓ પર રાજનીતિ કરનારા નેતાઓને નિશાને લઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ