બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / ભારત / વિશ્વ / લોકશાહી દેશ હિંસક ઉજવણીની મંજૂરી કેવી રીતે આપી શકે? ભારતે ફરી એકવાર ટ્રુડો સરકારને સંભળાવી ખરાખોટી
Last Updated: 12:39 AM, 8 May 2024
છેલ્લા ઘણા સમયથી ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. કેનેડામાં ચાલી રહેલા ભારત વિરોધી વિરોધને લઈને ભારતે ફરી એકવાર ટ્રુડો સરકારની ટીકા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કટ્ટરપંથી લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. કેનેડા એક લોકશાહી દેશ છે અને તેઓ કેવી રીતે હિંસા ઉજવવાની મંજૂરી આપી શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે અમે કેનેડા સાથે ભારતીય નેતાઓ વિરુદ્ધ ત્યાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પાછળ હિંસક વિચારસરણીનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારત સરકાર કેનેડામાં રહેતા પોતાના રાજદ્વારીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. કેનેડા સરકારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી રાજદ્વારીઓ કોઈપણ ડર વિના તેમનું કામ કરી શકે. ભારતે કેનેડા પાસે અલગતાવાદી તત્વો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.ભારત અને કેનેડા વચ્ચે તણાવ ત્યારે શરૂ થયો જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, બાદમાં ટ્રુડોએ પોતે ઘણી વખત ભારત સાથે સંબંધો જાળવી રાખવાની વાત કરી હતી.
ગયા વર્ષે જ બ્રેમ્પટન શહેરમાં ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી હતી. જેમાં બે શીખ બંદૂકધારી ભારતના પૂર્વ વડાપ્રધાનને ગોળી મારતા દર્શાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે આ પછી ઘણા શહેરોમાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસક પોસ્ટર લગાવવામાં આવ્યા છે.જયસ્વાલે કહ્યું કે હિંસાની ઉજવણી કરવી અને તેની પ્રશંસા કરવી એ કોઈપણ સંસ્કારી સમાજનો ભાગ ન હોવો જોઈએ. લોકશાહી દેશોએ કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરવું જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કટ્ટરપંથી વિચારસરણીને પ્રોત્સાહન આપનારાઓથી પણ આપણે સાવધ રહેવું જોઈએ.
વધુ વાંચો : માલદીવના તેવર ઢીલા પડ્યા, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયા બાદ વિદેશમંત્રી આવશે ભારત મુલાકાતે
કેનેડાના આરોપો સામે કાર્યવાહી કરતા ભારતે ત્યાંના લોકો માટે વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી હતી. આ ઉપરાંત, 41 કેનેડિયન રાજદ્વારીઓને પણ ભારતમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં રાજદ્વારી સ્તરે વાટાઘાટો થઈ હતી અને થોડા મહિનાઓ પછી વિઝા સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT