બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ભારત / Politics / PM Modi Pariwarwad speech in loksabha says that one family is running the whole party
Vaidehi
Last Updated: 06:23 PM, 5 February 2024
લોકસભામાં આજે વિપક્ષ દ્વારા ભાજપ પર પરિવારવાદ કરતાં હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો જેનો વળતો જવાબ PM મોદીએ આપતાં કહ્યું કે," કોંગ્રેસને એક સારો વિપક્ષ બનવાનો સારો મોકો મળ્યો. 10 વર્ષ ઓછા નથી હોતા...આ 10 વર્ષમાં એ દાયિત્વને નિભાવવામાં પણ તેઓ વિફળ રહ્યાં. વિપક્ષમાં અન્ય ઘણાં સારા લોકો છે પણ તેમને કોઈ દિવસ આગળ ન આવવા દીધું. દરવખતે વિપક્ષમાં જે અન્ય તેજસ્વી લોકો છે તેમને તેમણે દબાવી દીધું. " તેમણે કહ્યું કે," પરિવારવાદને કારણે આપણાં ખડગેજી આ સદનમાંથી પેલા સદનમાં શિફ્ટ થઈ ગયાં, ગુલાબ નબીજી પાર્ટીમાંથી શિફ્ટ થઈ ગયાં.... એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાનાં ચક્કરમાં કોંગ્રેસની દુકાનમાં તાળું લાગી ગયું છે. "
#WATCH | PM Narendra Modi says, "Congress' mindset is that it has never trusted the capability of the country. It considered itself rulers and the public as someone lesser, someone smaller..."
— ANI (@ANI) February 5, 2024
He reads out a statement of the then PM Jawaharlal Nehru, "...It means that Nehru ji… pic.twitter.com/69D6kTgmLO
"પરિવારવાદનાં પરિણામો દેશે ભોગવ્યાં છે"
PM મોદીએ કોંગ્રેસને ટાર્ગેટ કરતાં કહ્યું કે, ગૃહમાં અનેક યંગ સાંસદગણ છે...ઉત્સાહ અને ઉમંગ પણ છે...પણ કદાચ તેમની છવી આગળ આવી જાય અને પોતાની છબી ઢંકાઈ જાય એ ચિંતામાં યુવાઓને મોકો જ ન આપવામાં આવ્યો. એટલે કે એક પ્રકારે એટલું મોટું પોતાનું, વિપક્ષનું, સંસદનું અને દેશનું નુક્સાન કરી બેઠાં છે. હું હંમેશા કહું છું કે દેશને હંમેશા સારા વિપક્ષની ઘણી જરૂર છે. દેશે જેટલાં પરિવારવાદનાં પરિણામો ભોગવ્યાં છે અને ખુદ કોંગ્રેસે પણ પરિણામો ભોગવ્યાં છે.
"એક પરિવારમાંથી જેટલા સભ્યો આવે તેમું સ્વાગત છે"
વિપક્ષ પર આક્રમણ કરતાં PM મોદીએકહ્યું આપણે કેવા પરિવારવાદની ચર્ચા કરીએ છીએ. જો કોઈ પરિવારમાં એકથી વધારે સભ્યો પોતાની લાયકાતે, જનસમર્થનથી જો રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તો અમે તેને કોઈ દિવસ પરિવારવાદ નથી કહ્યું. અમે પરિવારવાદ તેને કહીએ છીએ જે પાર્ટી પરિવાર ચલાવે છે, જે પાર્ટી પરિવારનાં લોકોને પ્રાથમિકતા આપે છે, જે પાર્ટીનાં તમામ નિર્ણયો પરિવારનાં લોકો કરે છે...
#WATCH | PM Modi attacks Congress, Rahul Gandhi, says, "Ek hi product baar-baar launch karne ke chakkar mein, Congress ki dukaan tala lagne ki naubat aa gayi hai..." pic.twitter.com/uGtG3kALQO
— ANI (@ANI) February 5, 2024
'રાજનાથ સિંહ કે અમીત શાહ પાર્ટી નથી"
તેમણે કહ્યું કે," ન તો રાજનાથ સિંહની કોઈ પાર્ટી છે અને ન તો અમીત શાહની કોઈ પાર્ટી છે. દેશનાં લોકતંત્ર માટે પરિવારવાદી રાજનીતિ, પરિવારવાદી પાર્ટીની રાજનીતિ આપણાં સૌ માટે એક ચિંતાનો વિષય હોવો જોઈએ. " તેમણે આગળ કહ્યું કે, "હું તો કોઈ પરિવારનાં 10 લોકો રાજકારણમાં પ્રગતિ કરે હું સ્વાગત કરીશ...દેશમાં જેટલી નવી પેઢી સારા લોકો આવે તેનું સ્વાગત જ છે..પણ સવાલ એ છે કે પરિવાર જ પાર્ટી ચલાવે છે. એવું નક્કી છે કે આ અધ્યક્ષ નથી તો તેનો પુત્ર બનશે, એ નહીં હોય તો તેનો પુત્ર હશે..આ લોકતંત્રનો ખતરો છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh