બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / lakshagrih Baghpat Case: Court declares that baghpat lakshagrih land is of hindus, mahabhart kalin proofs were presented
ADVERTISEMENT
Lakshagrih Case: ઉત્તરપ્રદેશનાં બાગપતમાં લાક્ષાગૃહ અને બદરૂદીન શાહની મજારને લઈને છેલ્લાં 50 વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો. આ વિવાદ વર્ષ 1970માં શરૂ થયો હતો જ્યારે મુસ્લિમ પક્ષની તરફથી મુકીમ ખાને લાક્ષાગૃહ ટીલાને બદરૂદીન શાહની મજાર અને કબ્રસ્તાન જણાવતો કેસ દાખલ કર્યો હતો. જેમાં બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજે પ્રતિવાદી બનાવવામાં આવ્યું હતું. લાક્ષાગૃહ ટીલાની 100 વીઘા જમીન પર માલિકાના હકને લઈને છેલ્લાં 53 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે.
Big Breaking: Baghpat: Its a Win for The Hindu Side. Land Belongs To Hindus. Hindu side got ownership rights. Hindu side got ownership rights on 100 bighas of land. Testimony of more than 10 witnesses from the Hindu side. Civil judge Shivam Dwivedi dismissed the suit of the… pic.twitter.com/BzG0k0xNvs
— Siddhant Anand (@JournoSiddhant) February 5, 2024
ADVERTISEMENT
મહાભારત કાલીન પુરાવાઓ
હિંદૂ પક્ષનાં વકીલ રણવીર સિંહે જણાવ્યું કે મુસ્લિમ પક્ષ 100 વીઘા જમીનને કબ્રસ્તાન અને મજાર જણાવીને તેના પર કબ્જો કરવા ઈચ્છે છે. તેને લઈને તેમણે કોર્ટને કેટલાક પૂરાવાઓની સોંપણી કરી છે જેમાં લાક્ષાગૃહનો ઈતિહાસ મહાભારત સમયનો છે. આ વિશે દેશ અને દુનિયા જાણે છે. લાક્ષાગૃહ ટીલા પર સંસ્કૃત વિદ્યાલય અને મહાભારત કાલીન પુરાવાઓ પણ મળી આવ્યાં છે.
ADVERTISEMENT
વધુ વાંચો: એક કરોડનો દંડ, 10 વર્ષની જેલ! પેપર લીક કરનારાઓની ખેર નહીં, મોદી સરકાર લોકસભામાં લઇને આવી તગડું બિલ
કોર્ટે શું ચુકાદો આપ્યો?
ASIએ અહીં ખોદકામ કરીને પ્રાચીન સભ્યતાનાં અવશેષો મેળવ્યાં છે જેના આધાર પર અહીં હિંદૂ પક્ષે મજાર સહિત સમગ્ર વિસ્તારને મહાભારત કાલીન કહીને કોર્ટથી માલિકાના હક આપવાની માંગ કરી. લાક્ષાગૃહ અને મજાર વિવાદ પર ADJ કોર્ટે નિર્ણય આપ્યો અને 100 વીઘા જમીન અને મજાર પર હિંદૂ પક્ષને માલિકાના હક મળ્યો. આ દરમિયાન 10થી વધારે હિંદૂ પક્ષનાં સાક્ષીઓ સાથે કોર્ટમાં પ્રશ્નોત્તરી થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.