બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / PM Modi Ayodhya Visit I look angry in the photo: PM Modi talk the children in the train

અયોધ્યા / ફોટોમાં હું ગુસ્સામાં હોઉં એવું લાગે છે: PM મોદીએ ટ્રેનમાં બાળકોને જુઓ શું કહ્યું, પૂછ્યું કશું ખાવા માટે નથી લાવ્યા?

Megha

Last Updated: 03:02 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન પીએમ ટ્રેનમાં બેઠેલા કેટલાક સ્કૂલના બાળકોને મળ્યા હતા.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે. 
  • પીએમ મોદીએ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. 
  • બાળકોએ પીએમનો ફોટો બતાવ્યો તો વડાપ્રધાન બોલ્યા 'હું ગુસ્સામાં હોઉં એવું લાગે છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે અને આજે એમને અહીં અઢળક ભેટો આપી છે. સાથે જ એમના સ્વાગત માટે આખી અયોધ્યા આવી પંહોચી હતી. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 

આ દરમિયાન પીએમ મોદી અમૃત ભારત ટ્રેનમાં બેઠેલા કેટલાક સ્કૂલના બાળકોને મળ્યા હતા. બાળકો સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી હતી. હાલ તેનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં  તેઓ બાળકો સાથે હસતા અને મજાક કરતા જોવા મળ્યા હતા. જ્યારે બાળકોએ પીએમ મોદીનો ફોટો બતાવ્યો તો વડાપ્રધાને કહ્યું કે તે ફોટોમાં તેઓ ગુસ્સામાં હોય એવા લાગી રહ્યા છે.  

વાંચવા જેવુ: આખી જિંદગી બાબરી મસ્જિદ માટે કેસ લડનાર ઈકબાલ અન્સારી આજે PM મોદી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા, જુઓ વીડિયો

આ પછી પીએમ મોદીએ બાળકોને કહ્યું, 'શું તમે તેમને થોડી ચા પીવડાવશો, તમે ખાવા માટે કંઈ લાવ્યા નથી?' આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ