બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ધર્મ / Pitru Paksha 2023 angry ancestors can give these 5 curse disadvantages of not performing shradh
Arohi
Last Updated: 03:09 PM, 8 September 2023
પિતૃપક્ષનું શરૂઆત શ્રાવણ પુરો થયા બાદ થશે. પિતૃપક્ષમાં આપણે પોતાના પૂર્વજોની આત્માની શાંતિ, મોક્ષ અને આત્મ તૃપ્તિ માટે શ્રાદ્ધ કરીએ છીએ. જેમના પિતૃઓ નારાજ હોય છે તે પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટેના ઉપાય કરે છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઘણા ઉપાય છે. જે લોકો પિતૃપક્ષમાં પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ વગેરે નથી કરતા તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.
પિતૃઓની અવગણના કરવાથી આવે છે 5 મુશ્કેલીઓ
ગૃહ કલેશ
પિતૃઓના નારાજ થવા કે પિતૃદોષ થવાથી પરિવારમાં સુખ અને શાંતિ નથી રહેતી. હંમેશા ઘરમાં કલેશ રહે છે. પરિવારના સદસ્યોની વચ્ચે વિશ્વાસ નથી રહેતો. વાદ વિવાદની સ્થિતિ રહે છે. પરિવારમાં હંમેશા અશાંતિની સ્થિતિ બની રહે છે.
ધનહાનિ
પિતૃઓનું અનાદર કરવાથી વ્યક્તિને ધન હાનિ અથવા તો ધન સંકટથી ઝઝુમવું પડે છે. તમે જ્યાં ધનનું રોકાણ કરશો ત્યાં તમારા પૈસા ડૂબી શકે છે. જે વ્યક્તિને ધનની મદદ કરશો તે તમને રૂપિયા પરત નહીં આપે. એવી માન્યતા છે કે પિતૃઓના શ્રાપથી ધન-સંપત્તિમાં ઘટાડો થાય છે. પરિવારમાંથી ધન, વૈભવ, સમૃદ્ધિ વગેરે દૂર થઈ જાય છે.
સંતાન સુખની પ્રાપ્તિ ન થવી
પિતૃઓની નારાજગીના કારણે તમે સંતાનહીન થઈ શકો છો. તમે સંતાન સુખથી વંચિત રહી શકો છો. વંશની વૃદ્ધિ નહીં થાય. પુત્રનું સુખ પ્રાપ્ત નહીં થાય. પિતૃઓ શ્રાપ આપે છે કે વંશથી તેમને સુખ પ્રાપ્ત નથી થઈ રહ્યો તે તૃપ્ત નથી થઈ રહ્યા તો તેમને પણ વંશનું સુખ પ્રાપ્ત ન થાય.
કરિયરમાં મુશ્કેલી
જે લોકો પર પિતૃદોષ લાગે છે. તેમને પોતાના કરિયરમાં પણ સમસ્યા આવી શકે છે. અચાનક નોકરી છૂટી જાય છે નોકરી નથી મળતી જે કામ શરૂ કરે છે તેમાં અસફળતા મળે છે. બિઝનેસમાં નુકસાન થાય છે એક પ્રકારથી કહીએ તો તેમના કરિયરમાં મુશ્કેલીઓ આવે છે.
ખરાબ સ્વાસ્થ્ય
પિતૃઓની નારાજગીના કારણે પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરિવારનું એક સદસ્ય ઠીક થાય તો બીજુ બીમાર પડે છે. કોઈ સદસ્યને ગંભીર બીમારી થઈ જાય છે. જેના કારણે આખો પરિવાર પરેશાન રહે છે. માનસિક અને શારીરિક મુશ્કેલીઓ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ