બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / PIB Fact-Check rejects claims made in video on Railways' privatisation shared by Rahul Gandhi
Hiralal
Last Updated: 03:15 PM, 13 November 2022
ભારત જોડો યાત્રામાં જોડાયેલા રાહુલ ગાંધીએ રેલવેના ખાનગીકરણનો ખોટો દાવો કર્યો હતો. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ કોંગ્રેસ નેતાના દાવાની ફેક્ટ-ચેક કરી છે અને તેને 'નકલી' ગણાવ્યો છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે રેલવેએ પોતાની કોઇ સંપત્તિનું ખાનગીકરણ કર્યું નથી. રાહુલે ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા હતા.
12 लाख लोगों को रोज़गार, 2.5 करोड़ देशवासियों की रोज़ सेवा - देश को जोड़ती है भारतीय रेल।
— Rahul Gandhi (@RahulGandhi) November 12, 2022
प्रधानमंत्री जी, रेलवे देश की सम्पत्ति है, इसे निजीकरण नहीं, सशक्तिकरण की ज़रूरत है। बेचो मत! pic.twitter.com/Z6m5S0vQio
રાહુલ ગાંધીએ કર્યું હતું ટ્વિટ
રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 12 લાખ લોકોને રોજગાર, 2.5 કરોડ દેશવાસીઓની દૈનિક સેવા - ભારતીય રેલવે દેશને જોડે છે. પ્રધાનમંત્રીજી, રેલવે દેશની સંપત્તિ છે, તેને ખાનગીકરણની નહીં, પણ સશક્તિકરણની જરૂર છે. આ ટ્વીટ દ્વારા તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો રેલવેના ખાનગીકરણની વાત કરી રહ્યા છે. વળી, કેટલાક સમાચારોની હેડલાઈન્સ પણ શેર કરવામાં આવી હતી.
ફેક્ટચેકમાં રાહુલનો દાવો ખોટો નીકળ્યો
સરકારી એજન્સી પીઆઈબી દ્વારા રાહુલ ગાંધીના દાવાનું ફેક્ટ ચેક કરાયું હતું જેમાં રાહુલનો દાવો ખોટો હોવાનું સાબિત થયું હતું. પીઆઈબી ફેક્ટ ચેકના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું છે, "એક ટ્વીટ પર બનાવટી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વેની 151 ટ્રેનો, રેલ્વે સંપત્તિ, સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે" અને "રેલ્વે મંત્રાલય તેની કોઈપણ સંપત્તિનું ખાનગીકરણ કરી રહ્યું નથી.
एक ट्वीट में फर्जी दावा किया जा रहा है कि भारतीय रेलवे की 151 ट्रेनों, रेलवे संपत्ति, स्टेशनों और अस्पतालों का निजीकरण कर दिया गया है#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) November 13, 2022
▶️ ये दावे पूर्णतः फर्जी एवं तथ्यहीन हैं
▶️ @RailMinIndia अपनी किसी संपत्ति का निजीकरण नहीं कर रहा pic.twitter.com/KecWtIM7du
જાણો રાહુલની ભારત જોડો યાત્રા વિશે
રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કેરળના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરુઆત કરી હતી જેમાં રાહુલ કાર્યકરો અને નેતાઓ સાથે દરરોજ પગપાળા યાત્રા કરી રહ્યાં છે. યાત્રાની વેબસાઇટ અનુસાર, અત્યાર સુધીમાં 67 દિવસમાં આ યાત્રામાં 6 રાજ્યોના 28 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ