બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Photos: Nataraj Statue, Konark Chakra and Yoga Mudras, G20 Summit Glimpse of India's Cultural Heritage
Megha
Last Updated: 02:06 PM, 9 September 2023
G20 Summit 2023 : આજે G20 સમિટનો પ્રથમ દિવસ છે. આ કોન્ફરન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અનેક મોટા દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. G20 ઇવેન્ટના ભારત મંડપમ જ્યાં વૈશ્વિક નેતાઓ એકત્ર થયા છે તેને યોગ, કોણાર્ક ચક્ર અને નટરાજની પ્રતિમાઓથી શણગારવામાં આવ્યું છે. જે ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રતીકો છે.
PM Narendra Modi receives #G20 Heads of Delegations arriving for the landmark #G20Summit at Bharat Mandapam.
— All India Radio News (@airnewsalerts) September 9, 2023
For welcome handshake of all leaders at G20 Summit, India showcases Konark wheel from Odisha.
Konark Wheel serves as a powerful symbol of the wheel of democracy that… pic.twitter.com/17CMS64tCa
ભારત મંડપમમાં સુશોભિત કોણાર્ક ચક્ર
દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G20 સમિટમાં હાજર રહેલા વિશ્વના નેતાઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત હેન્ડશેક દરમિયાન 'સર્કલ ઑફ લાઇફ' દર્શાવતી કોણાર્ક વ્હીલની પ્રતિકૃતિ પૃષ્ઠભૂમિમાં જોવા મળી હતી. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સભ્ય સચિવ સચ્ચિદાનંદ જોશીએ જણાવ્યું હતું કે, કોણાર્ક વ્હીલની પ્રતિકૃતિ સર્કલ ઓફ લાઈફનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચક્ર સૂર્ય અથવા સૂર્ય ભગવાનને સમર્પિત છે. તે પ્રકૃતિ અને સૂર્ય પ્રત્યેના આપણા ઊંડા આદરનું પ્રતીક પણ છે.
VIDEO | PM Modi explaining about Odisha's Konark wheel to US President Joe Biden as he arrived at Bharat Mandapam to attend the G20 Summit.
— Press Trust of India (@PTI_News) September 9, 2023
The Konark wheel was built during the 13th century under the reign of King Narasimhadeva-I. The wheel consists of eight wider spokes and… pic.twitter.com/NPw5yCgEuK
કોણાર્ક ચક્રનું બાંધકામ
કોણાર્ક ચક્રનું બાંધકામ 13મી સદી દરમિયાન રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 24 સ્પોક્સ સાથેનું વ્હીલ ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સંસ્કૃતિ અને સ્થાપત્ય શ્રેષ્ઠતાનું પ્રતીક છે. તેનું પ્રતિબિંબ રાષ્ટ્રધ્વજમાં પણ જોઈ શકાય છે. તે લોકશાહીના ચક્રના શક્તિશાળી પ્રતીક તરીકે સેવા આપે છે, જે લોકશાહી આદર્શોની સ્થિતિસ્થાપકતા અને સમાજમાં પ્રગતિ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL
— Narendra Modi (@narendramodi) September 9, 2023
નટરાજની પ્રતિમાની વિશેષતા
ભારત મંડપમમાં કન્વેન્શન હોલના પ્રવેશદ્વાર પર 28 ફૂટ ઊંચી નટરાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા ભગવાન શિવને 'નૃત્યના ભગવાન' અને તેમની સર્જન અને વિનાશની વૈશ્વિક શક્તિનું પ્રતીક છે. આ 19 ટનની પ્રતિમા તમિલનાડુના સ્વામીમાલાઈના એસ. દેવસેનાથીપતિ સ્તપતિના પુત્રો દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ બનાવવા માટે પરંપરાગત ચોલા હસ્તકલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રતિમા આઠ ધાતુની બનેલી છે. લગભગ 82 ટકા તાંબાનો ઉપયોગ થાય છે અને 15 ટકા બ્રોન્ઝ અને 3 ટકા સીસું, બાકીનું સોનું, ચાંદી, ટીન અને થોડી માત્રામાં પારો વપરાયું છે.
નટરાજની મૂર્તિ સ્થાપિત કરવા પાછળ શું કારણ?
ભારત મંડપમમાં નટરાજની મૂર્તિ સ્થાપિત કરવા પાછળ ધાર્મિક અને ઐતિહાસિક કારણ છે. નટરાજનું આ સ્વરૂપ શિવના આનંદ તાંડવનું પ્રતિક છે. જો તમે શિવ નટરાજની પ્રતિમાને ધ્યાનથી જોવા પર ભગવાન શિવની નૃત્યની મુદ્રા સ્પષ્ટપણે જોવા મળશે. સાથે જ એમને રાક્ષસને એક પગે દબાવ્યો છે. આવી સ્થિતિમાં શિવનું આ સ્વરૂપ નૃત્ય દ્વારા અનિષ્ટનો નાશ કરવાનો અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો સંદેશ આપે છે.
VIDEO | PM Modi welcomes his Italian counterpart @GiorgiaMeloni at Bharat Mandapam, the venue for the G20 Summit in Delhi. #G20Summit2023 #G20India2023 pic.twitter.com/sM1ZWJr8iN
— Press Trust of India (@PTI_News) September 9, 2023
ભારત મંડપમમાં પણ યોગ કળા પ્રદર્શિત કરવામાં આવી
નટરાજ અને કોણાર્ક ચક્ર ઉપરાંત યોગ મુદ્રાની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. યોગ એ વિશ્વને ભારતીય સભ્યતાની ભેટ છે. કહેવાય છે કે યોગે સમગ્ર વિશ્વને એક કરવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, આ દરમિયાન હોલમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વિવિધ કળાઓ અને પ્રતિકોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર