બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / padmashri dahyabhai shastri passed away at the age of 97 at nadiad great scholar of sanskrit language

દુઃખદ / સંસ્કૃતના સંરક્ષક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું ગઇકાલે 97 વર્ષની વયે અવસાન: PM મોદી-CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો, આજે અંતિમ સંસ્કાર

Malay

Last Updated: 08:26 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસ્કૃતના સંરક્ષક અને નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન, પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક.

  • સંસ્કૃતના સંરક્ષક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું અવસાન
  • ગુજરાત રાજ્યને એક ઉમદા સંસ્કૃત વિદ્ધાનની કાયમી ખોટ પડી
  • પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીના આજે કરાશે અંતિમ સંસ્કાર

Padmashri Dahyabhai Shastri Passed Away: નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના પાર્થિવદેહને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીની વિદાયથી નડિયાદ સહિત ગુજરાત રાજ્યને એક ઉમદા સંસ્કૃત વિદ્ધાનની કાયમી ખોટ પડી છે.

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥ ૐ શાંતિ...!'

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કર્યો શોક
ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની વયે અવસાન થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'સંસ્કૃતના પ્રખર વિદ્વાન, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. તેમના નિધનથી ગુજરાતે અને દેશે સંસ્કૃત ભાષાના શિક્ષણ અને વ્યાપ માટે અમૂલ્ય યોગદાન આપનાર અને સંસ્કૃત ભાષારૂપી વિરાસતનું કાળજીપૂર્વક સંવર્ધન કરનાર રત્નને ખોયા છે.  ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનો તથા અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ॐ શાંતિ.'

મહેસાણા જિલ્લામાં થયો હતો જન્મ
પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીનો 26 ફેબ્રુઆરી, 1926ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામે થયો હતો. તેમણે અમદાવાદ અને વારાણસીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તેઓએ હિન્દી વિશારદ, સાહિત્યાચાર્ય, વ્યાકરણાચાર્ય સહિતની પવી પ્રાસ્ત કરી હતી. તેઓ સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે તેઓ આજીવન કાર્યરત રહ્યા હતા. તેઓ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય રહી ચૂક્યા છે. 

રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાયો હતો પદ્મશ્રી એવોર્ડ
ડાહ્યાભાઈ શાસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓએ નડિયાદ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામની સ્થાપના કરી હતી. વર્ષ 2016માં ડાહ્યાભાઈ શાસ્ત્રી રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. સંસ્કૃત રક્ષા એ જ રાષ્ટ્ર રક્ષા, તેવો તેમનો જીવનમંત્ર હતો. સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધનથી રાજ્યને ઉમદા સંસ્કૃત વિદ્વાનની મોટી ખોટ પડી છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

CM ભૂપેન્દ્ર પટેલ PM મોદી Sanskrit Language dahyabhai shastri passed away padmashri dahyabhai shastri ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી Padmashri Dahyabhai Shastri Passed Away
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ