બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Malay
Last Updated: 02:33 PM, 29 March 2023
સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. રખડતા શ્વાનના હુમલા બાદ શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવકનું મોત થયું છે. મહત્વનું છે કે, 28 વર્ષીય યુવકને રખડતા શ્વાને એક મહિનામાં બે વખત બચકા ભર્યા હતા. મળતી માહિતી મુજબ, સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી નગર ખાતે રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બચકા ભર્યા હતા. રાજનને શ્વાને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. યુવકને પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં અને બીજી વખત 21 માર્ચે શ્વાને બચકું ભર્યું હતું.
યુવક રહેતો હતો સતત બિમાર
શ્વાનના બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. જેથી તેની સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
6 વર્ષના બાળક પર કર્યો હતો હુમલો
આ પહેલા પણ સુરતમાંથી હાથના રુંવાડા ઉભા કરી નાખે એવો બનાવ સામે આવ્યો હતો. શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરના આંગણે રમી રહેલા 6 વર્ષના બાળકને શ્વાને 25 બચકાં ભર્યા કર્યા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાળકનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.
શ્વાને ભર્યા હતા 25 જેટલા બચકા
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના એકના એક વહાલસોયા પુત્ર સાહિલ પોતાના ઘર આંગણે રમી રહ્યો હતો તે દરમ્યાન અચાનક જ એક શ્વાન આવી ચડ્યો હતો અને રમી રહેલા સાહિલ પર હુમલો કર્યો હતો. જેમાં સાહિલના પેટના ભાગથી લઈ મોઢા સુધી અંદાજીત 25 જેટલા બચકા ભર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સાહિલ બે ભાન થઈ ગયો હતો.
સારવાર દરમિયાન થયું હતું મોત
તેના માતા-પિતા દ્વારા તેને તાત્કાલિક ખાનગી ક્લિનિકમાં સારવાર માટે લઈ જવાયો હતો. જોકે, ગંભીર ઈજાના પગલે ક્લિનિકથી સિવિલ હોસ્પિટલમાં 108ની મદદથી રીફર કરાયો હતો. જ્યાં સારવાર ચાલુ કરાઈ તે દરમ્યાન જ સાહિલે દમ તોડી દીધો હતો. સાહિલ પરિવારનો એકનો એક દીકરો હતો. પુત્રના મોતને પગલે માતા-પિતા ઘેરા શોકમાં ગરકાવ થયા હતા.
સળગતા સવાલ
- રખડતા શ્વાનના આતંકથી ક્યારે મળશે છુટકારો?
- વારંવાર બનતી ઘટનાઓ બાદ પણ તંત્ર કેમ નથી જાગતું?
- યુવકની મોત માટે જવાબદાર કોણ?
- રખડતા શ્વાનની સમસ્યા સામે તંત્ર ક્યારે કરશે કાર્યવાહી?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર