બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / NSE has taken a big decision regarding two Adani Group companies, investors will be directly affected

વધુ એક ઝટકો! / અદાણી ગ્રુપની બે કંપનીઓને લઈને NSEએ લીધો મોટો નિર્ણય, રોકાણકારોને થશે સીધી અસર

Megha

Last Updated: 10:40 AM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા અઠવાડિયે નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની આ બે કંપનીઓ એટલે કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેરની પ્રાઇસ બેન્ડ 20 ટકાથી સુધારીને 10 ટકા કરી હતી.

  • NSEએ અદાણી ગ્રુપના બે શેરને લઈને કર્યા આ ફેરફાર
  • અદાણીના આ બે શેર સર્કિટ મર્યાદામાં સુધારો કર્યો
  • કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 9.5 લાખ કરોડ એટલે કે 49 ટકાનો ઘટાડો

ભારતીય શેરબજારમાં તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ બનેલ અદાણી ગ્રૂપના શેરો અંગે સતત નવી નવી અપડેટ્સ આવતી રહે છે અને આ શ્રેણીમાં ગઈકાલે નેશનલ સ્ટોક એક્સચેન્જે એક મોટો નિર્ણય લીધો હતો જેની અસર અદાણી ગ્રુપના બે શેરના રોકાણકારો પર જોવા મળશે. જણાવી દઈએ કે ભારતીય બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની સર્કિટ મર્યાદામાં સુધારો કરીને તેને 5 ટકા કર્યો છે. 

ગયા અઠવાડિયે પ્રાઇસ બેન્ડમાં કરવામાં આવ્યો હતો ફેરફાર 
આ સાથે જ જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની આ બે કંપનીઓ એટલે કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેરની પ્રાઇસ બેન્ડ 20 ટકાથી સુધારીને 10 ટકા કરી હતી. નોંધનીય છે કે NSE એ આ ફેરફાર એટલા માટે કર્યો કર્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ટુંક સમયમાં થનારી કોઈ મોટી મુવમેન્ટને ટાળી શકાય, જેથી રોકાણકારોને ભારે નુકસાન થવાની શક્યતાથી બચાવી શકાય. 

અદાણી ગ્રૂપને લાગ્યો હતો મોટો ઝટકો 
છેલ્લા 9 ટ્રેડિંગ દિવસોમાં અદાણી ગ્રૂપની તમામ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 9.5 લાખ કરોડ એટલે કે લગભગ 49 ટકાનો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ટ્રેડિંગના અંતે અદાણી જૂથની દસમાંથી છ કંપનીઓના શેર નુકસાનમાં બંધ થયા હતા. આ સાથે જ અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી વિલ્મર પાંચ-પાંચ ટકાના ઘટાડા સાથે નીચલી સર્કિટ પર બંધ થયા હતા. 

ગઈકાલે જ આવ્યા હતા અદાણી ટ્રાન્સમિશનના ત્રિમાસિક પરિણામો
જણાવી દઈએ કે અદાણી ટ્રાન્સમિશનએ ગઈકાલે જ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને તેમાં ઉત્તમ આંકડા જોવા મળ્યા છે. આ સાથે જ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી હતી. આ સાથે જ 31 ડિસેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં અદાણી ટ્રાન્સમિશનનો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 73 ટકા વધ્યો છે. અદાણી ટ્રાન્સમિશનનો નફો 478.15 કરોડ રૂપિયા હતો, જે 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં 283.75 કરોડ રૂપિયા હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ