બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Nine trustees of Gujarat Vidyapeeth resigned

અમદાવાદ / ગૂજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓના ધડાધડ પડ્યા રાજીનામા, કારણ ચોંકાવનારું

Dinesh

Last Updated: 09:00 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂજરાત વિદ્યાપીઠના નવ ટ્રસ્ટીઓએ રાજીનામું આપ્યું, થોડા દિવસ અગાઉ કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરાવમાં આવી હતી.

  • ગૂજરાત વિદ્યાપીઠમાં નવ ટ્રસ્ટીઓએ આપ્યું રાજીનામુ
  • રાજ્યપાલની કરાઈ હતી નવા કુલપતિ તરીકે પસંદગી
  • વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં કુલ 24 સભ્યો છે


ગૂજરાત વિદ્યાપીઠને લઈ ફરી વિવાદ સામે આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં નવ જેટલા ટ્રસ્ટીઓએ રાજીનામાં ધરી દીધા છે. જેને લઈ વિવિધ ચર્ચાઓ પણ વહેતી થઈ છે કે નવા કુલપતિની નિમણૂક વચ્ચે ટ્રસ્ટીઓના રાજીનામાંનું કારણ શું હોઈ શકે જે બાબતને લઈ વિદ્યાપીઠમાં અંદરો અંદર ચર્ચાઓ તેજ થઈ છે. નરસિંહ હઠીલા, ડૉ.સુદર્શન આયંગર, ડૉ.અનામિક શાહ અને ડૉ.મંદાબેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટનું રાજીનામું આપ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં કુલ 24 સભ્યો છે જેમાથી નવ ટ્રસ્ટીઓએ રાજીનામુ આપ્યું છે

વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ કેમ આપ્યું રાજીનામું
શિક્ષણ ક્ષેત્ર અને વિદ્યાપીઠમાં ચર્ચાઓ નવ ટ્રસ્ટીઓઓના રાજીનામાંથી તેજ થઈ છે. જૂના નવ ટ્રસ્ટીઓએ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીપદેથી રાજીનામા આપુ દીધુ છે. રાજીનામુ આપવા પાછળના મુખ્ય કારણ નવા નિમણૂક થઈ રહેલા કુલપતિની પણ વાત ચાલી રહી છે એવી પણ ચર્ચા છે કે,રાજ્યપાલ કુલપતિ બને તો સરકાર સીધી રીતે વિદ્યાપીઠમાં દખલગીરી કરે તેમજ વિદ્યાપીઠ શિક્ષણ સિવાય પણ ગાંધીમૂલ્યો માટે જાણીતી છે અને રાજ્યપાલ ગાંધી વિચારક નથી તેવું ટ્રસ્ટીઓ માની રહ્યા છે તેવું પણ કહેવાય છે તેમજ સરકારે વિદ્યાપીઠમાં પ્રવેશ લેવા લાંબા સમયથી વિદ્યાપીઠની ગ્રાન્ટમાં મોટો કાપ મૂક્યો હતો જે બાબતે ગ્રાન્ટ લેવા અને વિધાપીઠ બચાવવા કેટલાક ટ્રસ્ટીઓએ રાજ્યપાલને કુલપતિ બનાવ્યાની વાતે પણ જોર પકડ્યું છે. એવી પણ વાત વહેતી થઈ છે કે, સરકાર સાથે બેસવા સમંત થઈ કેટલાક ટ્રસ્ટીઓએ આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવા ઈચ્છ છે અને વિદ્યાપીઠમાં જૂના અનેક કૌભાંડ પણ થયા છે જે પણ ઢાંકવા દેવવ્રતને કુલપતિ બનાવ્યાનો આરોપ કરવામાં આવી રહ્યો છે

આચાર્ય દેવવ્રતની વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદગી
આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ કે જેઓનું રાજીનામું આખરે સ્વીકારાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું આપ્યું હતું. જો કે અગાઉ આપેલા રાજીનામાંને સ્વીકારાયું ન હતું. પરંતુ અંતે ઇલાબેન ભટ્ટનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું છે. ત્યારે હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગી કરાવમાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ