બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narrator Ramesh Ojha is being opposed by Maldhari Mahapanchayat

વિરોધ / માલધારીઓ નારાજ: કથાકાર રમેશભાઈ ઓઝાના નિવેદન સામે ભારે આક્રોશ, કહ્યું ગરીમાનું ધ્યાન ન રખાયું

Malay

Last Updated: 12:37 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી કથાકાર રમેશ ઓઝાએ પશુપાલકોને લઈને કરેલી ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો છે. માલધારી મહાપંચાયત દ્વારા કથાકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

  • કથાકાર રમેશ ઓઝાએ પશુપાલકોને લઈને કરેલી ટિપ્પણી બાદ વિવાદ
  • માલધારી મહાપંચાયત દ્વારા રમેશ ઓઝાનો વિરોધ
  • વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજને આપ્યો ઠપકોઃ નાગજી દેસાઈ

માલધારી મહાપંચાયત દ્વારા જાણીતા કથાકાર રમેશ ઓઝાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોરબી ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી ગઈકાલે રમેશ ઓઝાએ સમગ્ર રાજ્યમાં ઢોરને રખડતા મુકી દેનારા માલધારીઓને આડે હાથ લીધા હતા. જે બાદ તેમની વિરુદ્ધ માલધારી સમાજના લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ મામલે માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. 

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું કે, 'કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ વિરુદ્ધ જે ઉચ્ચારણો અને જે ભાષા-શબ્દનો ઉપયોગ કર્યો છે, તે કથાકાર તરીકે અને ધાર્મિક સંત તરીકે દુર્ભાગ્ય પણ ગણી શકાય. આવા કથાકારો અને સંતોને કારણે 98 ટકા સારા સંતો અને કથાકારોને નીચું જોવું પડે છે.'

નાગજી દેસાઈ

રમેશભાઈએ વ્યાસપીઠની ગરીમાનું ન રાખ્યું ધ્યાન: નાગજી દેસાઈ

તેમણે જણાવ્યું કે, 'વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજને ઠપકો આપ્યો, વ્યાસપીઠની ગરીમા જ તેમને ખબર નથી કે તેની કેટલી મોટી ગરીમા છે. વ્યાસપીઠ પરથી પશુપાલકોને તેમણે ઠપકો આપ્યો, એ ઠપકો ક્યારે વ્યાજબી ગણાય તેમણે સાથે-સાથે એ પણ કહેવાની જરૂર હતી કે, ગુજરાતના 2300 ગામમાંથી ગૌચર ગાયબ છે, તેને બે પગવાળા આખલા ગળી ગયા છે. પરંતુ તેમણે બસ માત્ર ગરીબોને જ ઠપકો આપ્યો.' આ ઉપરાંત નાગજી દેસાઈએ કહ્યું કે, તાત્કાલિક રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજની માફી માંગવી જોઈએ. 

 

ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીની કરી હતી ટિપ્પણી

મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશ ઓઝા દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે વ્યાસપીઠ ઉપરથી કથાકાર રમેશ ઓઝાએ ગૌવંશને રસ્તા પર રઝડતા છોડી દેનાર પશુપાલકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, 'નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે. હાઈકોર્ટે પણ સરકારને પગલા ભરવા કહ્યું છે. માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીં.'


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ