બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / Monkeys attacked father, snatched 4-month-old baby from his hand, threw him off a three-storey building

દુર્ઘટના / વાંદરાઓએ પરિવારની ખુશી છીનવી લીધી, પિતા પાસેથી ઝૂંટવીને 4 મહિનાના છોકરાને ત્રીજા માળેથી ફેંક્યો, તરત મોત

Hiralal

Last Updated: 10:35 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બરેલીમાં હત્યારા વાંદરાઓએ 4 મહિનાના એક બાળને નીચે ફેંકીને મારી નાખવાની ઘટના બનતા માતાપિતાની ખુશી છીનવાઈ ગઈ છે.

  • ઉત્તર પ્રદેશના બરેલી વાંદરા બન્યા હત્યારા
  • 4 મહિનાના બાળકને ચોથા માળેથી ઘા કરીને નીચે ફેંક્યું
  • નીચે પટકાતા નવજાતનું મોત
  • પિતા ગરમીથી બચવા અગાશી પર આંટા મારી રહ્યાં હતા ત્યારે બની ઘટના

શાંત પ્રકૃ઼તિના ગણાતા વાંદરાઓ ક્યારેક ન કરવાનું કરી નાખતા હોય છે. યુપીના બરેલીમાં વાંદરાના એક ટોળાએ 4 મહિનાના નવજાતની હત્યા કરી નાખી. ઉત્તર પ્રદેશના બરેલીથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના શાહી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડંકામાં વાંદરાઓએ એક વ્યક્તિના હાથમાંથી 4 મહિનાના બાળકને છીનવીને છત પરથી ફેંકી દીધું હતું. બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 

નવજાતને લઈને પિતા અગાશી પર આંટા મારતા હતા
રાત દરમિયાન ગરમી વધુ હોવાના કારણે પિતા બાળકને છત પર ફરવા માટે લઇ ગયા હતા, આ દરમિયાન વાંદરાઓએ તેના પર હુમલો કરીને બાળકને ઝૂંટવીને ફેંકી દીધું હતું. બરેલીમાં આદેશ ઉપાધ્યાય નામના વ્યક્તિ પોતાના 4 મહિનાના બાળકને લઈને ટેરેસ પર ગયા હતા, ગરમી વધુ હોવાથી તેઓ નવજાતને લઈને અગાશી પર આંટાફેરા મારતા હતા. આ દરમિયાન અચાનક વાંદરાઓનું એક મોટું ટોળું આવ્યું અને આદેશ પર હુમલો કર્યો. વાંદરાના હુમલાથી તેઓ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી નીચે જવા ભાગવા લાગ્યા હતા પરંતુ વાંદરાઓ જાણે કંઈક મોટું કરવા આવ્યાં હોય તેમ તેમને ઘેરી વળ્યાં હતા અને તેમના હાથમાંથી નવજાતને છીનવી લીધું હતું. અને કશું પણ વિચાર્યા વગર નવજાતને ચોથા માળેથી ઘા કરીને નીચે ફેંકી દીધું હતું. ત્રણ માળની છત પરથી પડતાં જ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 

સાત વર્ષ પછી ઘેર છોકરાનો જન્મ થયો હતો
આદેશ ઉપાધ્યાયના ઘેર સાત વર્ષ બાદ છોકરાનો જન્મ થયો હતો અને તેથી આખો પરિવાર ખુશ હતો અને પરિવાર બાળકના નામકરણની વિધિમાં પડ્યો હતો. આમ સાત વર્ષની ખુશી પળવારમાં શોકમાં ફેરવાઈ ગઈ. આખો પરિવાર રોઈ રોઈને અધમૂઓ થઈ ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ