બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / 'Me Ravana, To Tum Ram Ban Jao', Ashok Gehlot hits back at BJP leader's statement

પલટવાર / 'મે રાવણ, તો તુમ રામ બન જાઓ', ભાજપ નેતાના નિવેદન પર અશોક ગેહલોતનો વળતો પ્રહાર

Priyakant

Last Updated: 09:43 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan News: શેખાવતના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પલટવાર, ભાઈ અમે તો રાવણ છીએ, તમે ઓછામાં ઓછું મર્યાદા પુરુષોત્તમ રામ જેવું વર્તન કરો

  • કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહના રાવણ પરના નિવેદનથી મામલો ગરમાયો
  • શેખાવતના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પલટવાર કર્યો
  • તમે ઓછામાં ઓછું મર્યાદા પુરુષોત્તમ રામ જેવું વર્તન કરો: અશોક ગેહલોત 

રાજસ્થાનમાં હવે દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના રાવણ પરના નિવેદનથી મામલો ગરમાયો છે. શેખાવતના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પલટવાર કર્યો છે. શુક્રવારે ચુરુના તારાનગરમાં મોંઘવારી રાહત શિબિર દરમિયાન સીએમ ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવત પર પ્રહાર કર્યા હતા.

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, અમારે રાવણના રૂપમાં અશોક ગેહલોતને ખતમ કરવાનો છે. હું આનું પણ સ્વાગત કરું છું. ભાઈ અમે તો રાવણ છીએ. તમે ઓછામાં ઓછું મર્યાદા પુરુષોત્તમ રામ જેવું વર્તન કરો. તે ગરીબોના પૈસા ડૂબી ગયા છે તે પૈસા તમે ગરીબોને પરત આપવી દો અમે માની લઈશું કે, તમે રામનાં ફોલોવર છો અને અમે રાવણના ફોલોવર. 

લોકો નક્કી કરશે કે હું શું છું: અશોક ગેહલોત 
CM ગેહલોતે આગળ કહ્યું કે, ભાજપના લોકો કર્ણાટકમાં ખરાબ રીતે હારી રહ્યા છે, તેથી જ તેઓ ગુસ્સે છે. તેઓ ઉગ્ર ભાષા બોલી રહ્યા છે. શેખાવતે મને રાવણ કહ્યો છે, તે જનતાએ નક્કી કરવાનું છે. હું રાવણ હોઉં કે પહેલો લોકસેવક હોઉં. શેખાવત મંત્રીએ જે રીતે વાત કરી છે તેના પરથી હું તેમને કહેવા માંગુ છું કે, તેણે અને તેના મિત્રોએ મળીને ઘણી કંપનીઓ બનાવી અને અઢી લાખ લોકોને વ્યાજની લાલચ આપીને લૂંટી લીધા. માંને રજૂઆત કરવા આવેલ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ વૃદ્ધ લોકો હતા, કોઈના 25 લાખ, કોઈના 50 લાખ, કોઈના એક કરોડ રૂપિયા લૂંટાયા હતા, કેન્દ્રીય મંત્રી શેખાવતના બધા મિત્રો જેલમાં બેઠા છે.

ગરીબ લોકોના પૈસા પાછા અપાવો 
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કેન્દ્રીય મંત્રીએ ચિંતા કરવી જોઈએ કે તે લોકોના પૈસા કેવી રીતે પાછા મળે. કેન્દ્રીય મંત્રી બહુ મોટું પદ છે. તમે આ પદ પર બેઠા છો, હવે કહો કે તેઓ પોતે SOG આરોપી બન્યા છે. તપાસ દરમિયાન SOG દ્વારા ગજેન્દ્ર સિંહ શેખાવત દોષિત ઠર્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ