બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Mataji right hand fell in Bahucharaji, hand means arm and hence the name of this temple Bahucharaji.

દેવ દર્શન / માત્ર એક ચપટી મીઠુંની બાધા પણ પૂર્ણ કરે એ મા બહુચર... જ્યાં યંત્રમાં સ્થાપિત છે માતાજી, રોચક છે ઈતિહાસ

Last Updated: 07:06 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ છે, બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો, હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ બહુચરાજી પડ્યુ છે

  • પાર્વતીજીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠની રચના
  • બહુચરાજી માતાજીનો જમણો હાથ પડ્યો હતો
  • હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ પડ્યુ બહુચરાજી

શાસ્ત્રોમાં મા બહુચરના દર્શનનું અનેરૂ ધાર્મિક મહાત્મય વર્ણવાયુ છે. નારીને નર કરનારી સર્વે દુખોમાંથી મુક્તિ અપાવનારી મા બહુચર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં મા બહુચરના મંદિરને શક્તિપીઠનું ગૌરવ પ્રદાન થયુ છે. ચપટી મીઠુ પણ માતાજીને  ચઢી શકે છે. એવા અનેક દાખલા છે,કે માત્ર ચપટી મીઠુની બાધાએ પણ લોકોની મનોકામના માતાજીએ પૂર્ણ કરી હોય, આવુ જ મહેસાણાના બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરમાંનું મંદિર આવેલુ છે.

વિસાયંત્રને ક્યાં રાખવામાં આવે છે?
બહુચરમાંનું મંદિર ગુજરાતની ત્રણ મુખ્ય શક્તિપીઠોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતુ મંદિર છે.  સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ છે. બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો. હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ બહુચરાજી પડ્યુ છે.  આ શક્તિપીઠમાં માતાજી યંત્રમાં સ્થાપિત છે. સોનાના બનેલા આ યંત્રને  ગાયકવાડ સરકાર દ્વારા યંત્ર સ્થાપિત કરાયેલુ છે. વિસાયંત્રને પૂજા વિધિ કરીને મંદિરમાં મૂર્તિ પાછળ ઢાંકીને રાખવામાં આવે છે.

વાંચવા જેવું: ભૂકંપ કે કોરોના.. ગમે તેવી આફતો વચ્ચે ગુજરાતના આ મંદિરમાં રામધૂન નથી રોકાઈ, જાણો રોચક ઇતિહાસ

માનાજીએ બાધા રાખી અને થયા રોગમુક્ત
માનાજીરાવે બહુચર માતાજી ની બાધા રાખી અને તેમનો રોગ મટી ગયો હતો. ત્યારે માનાજી રાવ ગાયકવાડે બહુચરમાંનું મોટુ મંદિર બંધાવ્યુ હતું. ચૈત્રીપૂનમે બહુચરાજીમાં પાંચ દિવસ મેળો ભરાય છે અને પચ્ચીસ લાખથી પણ વધારે ભક્તો દર્શનનો લાભ લે છે. અહીં ચાંદીની જીભ તથા ચાંદીની પ્રતિમા ચઢાવી ભક્તો બાધા પૂર્ણ કરે છે. બાલા ત્રિપુરા સુંદરી વ્યંઢળોની આરાધ્ય દેવી હોવાની સાથે શક્તિસ્વરૂપા માતાજી છે. અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ શક્તિપીઠમાં આવી ધન્યતા અનુભવે છે.  પૂનમે માતાજીની પાલખી મુળ સ્થાન શંખલપુર ગામમાં યાત્રા કરે છે
 

સંકળાયેલા મુદ્દાઓ

dev Darshan દેવ દર્શન બહુચર માતાજી બહુચરના દર્શન બહુચરાજી મંદિર DEV DARSHAN
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ