બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / સુરત / Mass suicide in Gujarat: Seven family members, including three children died

ગુજરાત / સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ શા માટે કર્યો સામૂહિક આપઘાત? કારણ આવી ગયું સામે

Hiralal

Last Updated: 09:18 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક જ પરિવારના 7 લોકોના સામૂહિક આપઘાત પાછળનું કારણ સામે આવી ગયું છે.

  • સુરતના અડાજણમાં પરિવારના 7 લોકોના સામૂહિક આપઘાતનો મામલો 
  • મૃતક પરિવારને હતો ફર્નિચરનો બિઝનેસ
  • મૃતક મનિષ સોલંકીએ ઘણા પૈસા ઉછીના આપ્યાં હતા
  • કોઈએ પૈસા પાછા ન આપ્યાં હોવાનો સુસાઈડ નોટમાં ખુલાસો

સુરતના પાલનપુર જકાતનાક રોડ પર શનિવારે સવારે એક પરિવારના ત્રણ બાળકો સહિત સાત સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં છ વ્યક્તિઓના મોત ઝેરી પદાર્થ પીવાથી થયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે એક વ્યક્તિએ ફાંસો ખાધો હતો. એક જ પરિવારના 7 સભ્યોના સામૂહિક આપઘાત બાદ લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલતી હતી. બધાને તેમના મોતનું કારણ જાણવું હતું જે હવે સામે આવી ગયું છે જોકે પોલીસ તરફથી કોઈ ખુલાસો કરાયો નથી. 

કોણ છે મૃતકો 
મૃતકની ઓળખ મનીષ સોલંકી, તેની પત્ની રીટા, તેના પિતા કનુ, તેની માતા શોભા અને ત્રણ બાળકો - દિશા, કાવ્યા અને કુશાલ તરીકે થઈ છે.

7 લોકોના આપઘાતનું શું કારણ 
પોલીસને ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. ચિઠ્ઠીમાં સોલંકીએ કેટલીક આર્થિક કટોકટીનો ઉલ્લેખ કર્યો છે. જો કે, પોલીસે હજુ સુધી ચોક્કસ વિગતો શેર કરી નથી. સોલંકી ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, અને તેમની સાથે 35 જેટલા સુથારો અને મજૂરો કામ કરતા હતા.

કેવી રીતે ખુલાસો થયો 
શનિવારે સવારે તેના કર્મચારીઓ માલિક મનીષ સોલંકીનો  સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને જ્યારે તેમણે ફોનનો જવાબ ન આપ્યો ત્યારે તેમણે પડોશીઓને જાણ કરી અને બધા ભેગા થઈને પાછળની બારી તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારે પરિવારના સભ્યો મરેલા પડ્યાં હતા જ્યારે એક વ્યક્તિ ગળેફાંસો ખાધેલી લટકતો હતો. મૃતદેહોને વધુ માટે પોસ્ટ-મોર્ટમ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આપઘાત કરતા પહેલાંની સુસાઇડ નોટ મળી 
આ કેસમાં પોલીસને દોઢ પાનાની સુસાઈડ નોટ મળી છે. સુસાઈડ નોટમાં મૃતક મનિષ સોલંકીએ નીચે જણાવ્યા પ્રમાણેનું લખ્યું છે. 
"પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું"
રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતા નહિ હોવાનો ઉલ્લેખ કર્યો
"ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી"
"મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે"
"મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી"
"રિટાબેન તારું ધ્યાન રાખજે"
"ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો"
"જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો"
"અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી"
"જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે"
"કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે"
"જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ"

શું છે સુસાઈડ નોટમાં 
સુરતમાં એક જ પરિવારના 7 લોકોના મોતથી ચકચાર મચી છે. સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનિષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામુહિક આપઘાત કરીી લીધો હતો. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા સોલંકી પરિવારના સાત સભ્યોની લાશ મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સુસાઈડ નોટમાં મનિષે નીચે પ્રમાણેનું લખ્યું છે.

અમારા મર્યા પછી કોઈને હેરાન કરતાં
મૃતક મનિષ સોલંકીએ આપઘાત નોટમાં એવું પણ લખ્યું કે અમારા ગયા પછી કોઈને હેરાન ન કરતાં કારણ કે અમે "જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈ હેરાન થાય તેવું અમે નથી ઈચ્છતા. 

રુમમાંથી ખાલી બોટલ પણ મળી 
આ મામલે સુરત ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે ઘરમાંથી સુસાઇડ નોટ સાથે ખાલી બોટલ મળી આવી છે. તેમાં કદાચ ઝેર હતું. મનીષ ઉપરાંત ઘરના અન્ય સભ્યોનું પણ ઝેરના કારણે મોત થયું છે. એક સાથે એક પરિવારના સાત લોકોના મોતના સમાચારથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તપાસ સાથે સંકળાયેલી પોલીસનું માનવું છે કે મનીષે પહેલા પરિવારને ઝેર આપ્યું હતું અને પછી ફાંસો ખાધો હતો. જો કે સત્ય શું છે, તે તપાસ બાદ જ ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ