બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
VTV / Manipur Bans Mobile Internet Again Amid Protests Over Dead Students' Photos
Hiralal
Last Updated: 09:19 PM, 26 September 2023
મણિપુર ફરી પાછું અશાંત બન્યું છે. આ વખતે બે સગીરના હત્યા મામલે આગની ચિનગારી ચંપાઈ ગઈ હતી. એક છોકરો અને એક છોકરીની ઘાતકી હત્યાના સમાચાર વહેતા થયા બાદ તેમની લાશની તસવીર વાયરલ થતાં લોકો રસ્તા પર ઉતરી પડ્યાં હતા અને ઠેર ઠેર દેખાવ કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ વધારે ન બગડે એટલે સરકાર દ્વારા એક મોટું એક્શન લેવાયું હતું.
JUST IN -- #Manipur government has again suspended the mobile internet for the next 5 days, with immediate effect.
— Tanushree Pandey (@TanushreePande) September 26, 2023
This comes after protests erupted in the state today to demand justice for the two Meitei students who were killed. The pictures of their bodies went viral on SM. pic.twitter.com/gWkh5KagKS
પાંચ દિવસ સુધી ઈન્ટરનેટ બંધ
આ ઘટનાને પગલે સરકારે તાત્કાલિક પાંચ દિવસ સુધી ઈન્ટરનેટ બંધ કરી દીધો છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
શું થયું હિંસામાં
મણિપુરની ઇમ્ફાલ ખીણમાં બે સગીરની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ટોળા પર પોલીસે મંગળવારે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કરતાં 30થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગની છોકરીઓ છે. બે સગીરની લાશની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયાના કલાકો બાદ ઇમ્ફાલની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ વિરોધ રેલીઓ કાઢી હતી અને હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાની માગણી કરી હતી.
શું બની ઘટના
6 જુલાઈએ ટ્યુશનેથી પાછા આવતી વખતે હિજમ લિન્થોઇંગમ્બી અને ફિજામ હેમજીત નામની બે સગીરાઓનું અપહરણ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં હિજમ લિંથોંગમ્બી અને ફિજમ હેમજીત જંગલમાં જમીન પર બેઠેલી જોવા મળી રહી છે, તેમની પાછળ અજાણ્યા બંધકધારીઓ ઊભા છે અને તેમને ગોળી મારી દેવાઈ હતી. બીજી તસવીરમાં તેમની લાશ પડેલી જોવા મળી રહી છે. આ બન્ને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પોતાની દીકરીને યાદ કરતા પિતા કુલજીત હિજામે જણાવ્યું હતું કે, "તે કેમેસ્ટ્રી ટ્યુશન સેન્ટરથી ફિઝિક્સના ટ્યુશન સેન્ટર સુધી ચાલતી હતી. 6 જુલાઈના રોજ પણ તે ટ્યુશન માટે ગઈ હતી." તેણે કહ્યું, "તે તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી અને અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. એવું લાગતું હતું કે જાણે કોઈએ એનો ફોન છીનવી લીધો હોય. હિજમ લિંથોઇંગમ્બી અને ફિજામ હેમજીત છેલ્લા બે મહિનાથી લાપતા છે. સુરક્ષા એજન્સીઓ તેમની શોધખોળ કરી રહી છે, ત્યારે સ્થાનિક લોકો તેમને શોધવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
BIG FLASH: As fresh tension escalates in #Manipur following sensational disclosures on the alleged abduction & killing of two young students, Manipur government announces suspension of mobile internet services until Oct 1.https://t.co/nZr6ma0AV6#ManipurCrisis #ManipurViolence pic.twitter.com/NB1ccZJK4B
— Rohan Dua (@rohanduaT02) September 26, 2023
શું છે મણિપુર વિવાદ ?
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો