બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / રાજકોટ / Major tragedy in Tajia in Dhoraji: Total 24 people electrocuted, two dead, officials including DySP running
Vishal Khamar
Last Updated: 06:01 PM, 29 July 2023
આજે મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર તહેવાર મોહરમની સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ધોરાજીમાં અચાનક તાજીયામાં વીજ કરંટ લાગતા 2 લોકોનાં મૃત્યું થયા હતા. રસુલપુરા વિસ્તારમાં સરઘસ દરમ્યાન 24 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાં સર્જાતા સમગ્ર વિસ્તારમાં દોડાદોડ મચી જવા પામી હતી. ત્યારે તાત્કાલીક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ ડીવાયએસપી, પોલીસ તેમજ વીજ કંપનીની ટીમ ઘટનાં સ્થળે પહોંચી હતી. ત્યારે અચાનક જ સર્જાયેલ આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.
ઈજાગ્રસ્તોનો તમામ ખર્ચો ટ્રસ્ટ બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવશેઃ અફરોજભાઈ
આ બાબતે મુસ્લિમ સમાજનાં આગેવાન અફરોજભાઈએ જણાવ્યું હતું કે આજે ધોરાજી ખાતે મોહરમ પ્રસંગે એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં બે લોકોનાં મૃત્યું થયા છે જ્યારે 24 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આજે ધોરાજીમાં બઉ મોટો ગમખ્વાર અકસ્માત બન્યો છે. ત્યારે તાજીયા કમિટી તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ક્યાં પણ ઢોલ ત્રાસ વાગશે નહી. તેમજ એમ.એમ.એ ટ્રસ્ટ બોર્ડે તેમજ તેલી હોસ્પિટલ ટ્રસ્ટ બોર્ડ તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે આ ગમખ્વાર બનાવમાં જે લોકો ઈજાગ્રસ્ત છે તેઓને વધુ સારવાર અર્થે જ્યાં પણ ખસેડવામાં આવશે જેનો તમામ ખર્ચો ટ્રસ્ટ બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવશે.
અચાનક જ વીજ કરંટ લાગતા બે લોકોનાં મૃત્યું થયા, જ્યારે 24 લોકો સારવાર હેઠળઃ રાજકોટ ગ્રામ્ય એસપી
આ બાબતે રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાનાં ધોરાજી ખાતે તાજીયાનો જે માતમ ચાલતો હતો. જેમાં તેઓ તાજીયા લઈને બહાર નીકળતા હતા. ત્યારે અચાનક જ વીજ કરંટ લાગતા બે લોકોનાં ઘટનાં સ્થળે જ મૃત્યું થયા હતા. જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ