બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:34 AM, 23 February 2024
હિંદુ પંચાંગ અનુસાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રી ઊજવવામાં આવે છે, આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. પાર્વતી માતા અને ભગવાન શિવના વિવાહના ઉપલક્ષ્યમાં શિવરાક્ષી ઊજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પાર્વતી માતા અને ભગવાન શિવના લગ્ન થયા હતા.
ADVERTISEMENT
શિવજીનું સ્વરૂપ ખૂબ જ આકર્ષક અને રહસ્યમયી છે. વિવાહના અવસરે શિવજીનું સ્વરૂપ અને અનોખા જાનૈયાઓ જોઈને પાર્વતી માતા દંગ રહી ગયા હતા. શિવજીએ વસ્ત્ર તરીકે વાઘની છાલ ધારણ કરી હતી અને શરીર પર ભસ્મ, જટામાં ગંગા, માથા પર ચંદ્ર અને ગળા પર નાગદેવતા ધારણ કર્યા છે. આ તમામ બાબતો સાથે અલગ અલગ કથાઓ જોડાયેલી છે. શિવજી ગળા પર નાગદેવતા શા માટે ધારણ કરે છે અને તે નાગનું શું નામ છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
શિવજી ગળા પર સર્પ શા માટે ધારણ કરે છે?
શિવજીએ ગળા પર નાગદેવતા ધારણ કર્યા છે, તેનો અર્થ છે કે, શિવજીનો મહિમા માત્ર માનવ પર જ નહીં પરંતુ સર્પ પર પણ છે. મનુષ્યની સાથે સાથે નાગ-નાગિનના પણ ભગવાન શિવને તેમના આરાધ્ય દેવ માને છે. આ કારણોસર ભગવાન શિવ ગળામાં રૂદ્રાક્ષ માળાની સાથે સર્પ પણ ધાર્ણ કરે છે. ભગવાન શિવે ગળામાં જે નાગદેવતા ધારણ કર્યા છે, તે સર્પનું શું નામ છે?
ADVERTISEMENT
વધુ વાંચો: નવા કાર્યમાં અળચણ, લાભના અવસરમાં વિધ્ન, આ જન્મ તારીખવાળા લોકો આજે રહે એલર્ટ
વાસુકી નાગ
ભગવાન શિવે ગલામાં જે સર્પ ધારણ કર્યો છે, તેનું નામ વાસુકી નાગ છે. નાગરાજ વાસુકી શિવભક્ત હતા અને શિવજીની ભક્તિમાં રહેતા હતા. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે નાગરાજ વાસુકીએ દોરડાનું કામ કર્યું, જેથી સાગરનું મંથન કરવામાં આવ્યું. ઘર્ષણ દરમિયાન વાસુકી નાગ લોહી લુહાણ થઈ ગયા. જેથી ભગવાન શિવ વાસુકી નાગની ભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા અને વાસુકીને નાગલોકના રાજા બનાવવામાં આવ્યા. ઉપરાંત શિવજીએ વાસુકી નાગને તેમના ગળામાં આભૂષણ તરીકે રહેવા માટેનું વરદાન આપ્યું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.