બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વીમા ગ્રહતોને દેશમાં જલ્દી જ એક શાનદાર સુવિધા મળવા જઈ રહી છે. કોઈ પણ લાઈફ ઈન્શ્યોરન્સ કે જનરલ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ ખરીદનારને 30 દિવસનો ફ્રી લુક પીરિયડ મળી શકે છે. વીમા નિયામક ઈરડાએ આ સંબંધમાં એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હવે વીમા ગ્રાહકોને 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ મળે છે.

ADVERTISEMENT
શું છે ફ્રી-લુક પીરિયડ?
ફ્રી-લુક પીરિયડ એટલે કે એ સમય જેમાં વીમા ગ્રાહકોને કોઈ નવી ખરીદેલી પ્રોડક્ટ પસંદ ન આવવા પર તેને પરત કરવાની સુવિધા મળે છે. ધારો કે તમે કોઈ નવુ લાઈફ ઈન્શ્યોરન્સ કે જનરલ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ ખરીદ્યું છે.
ખરીદ્યા બાદ તમારે તે ખાસ પ્રોડક્ટમાં કંઈ ખામી જોવા મળી અને તેનાથી કોઈ સારી પ્રોડક્ટ મળ્યું. એવામાં તમે એક નક્કી સમય સુધી તે વીમા પ્રોડક્ટને સરેન્ડર કરી શકો છો અને તેના માટે તમારી પાસે કોઈ ચાર્જ નહીં વસુલ કરવામાં આવે. આજ સમયને ફ્રી-લુક પીરિયડ કહે છે.
ADVERTISEMENT

ફ્રી-લુક પીરિયડના હાલના નિયમ
વીમા નિયમોમાં જરૂરી ફ્રી-લુક પીરિયડની જોગવાઈ પહેલાથી છે. બધી કંપનીઓને દરેક લાઈપ ઈન્શ્યોરન્સ અને જનરલ ઈન્શ્યોર્નસ પ્રોડક્ટની સાથે ઓછામાં ઓછી 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ ઓફર કરવો પડે છે. ઈલેક્ટ્રોનિક પોલિસી કે ડિસ્ટેંસ મોડના હેઠળ ખરીદી ગયેલી પોલિસી માટે આ સમય 30 દિવસનો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ગમે તેટલી મહેનત કરો, તોય પૈસા નથી બચતા? તો આજથી જ આ ટિપ્સ ફૉલો કરો, થશે જોરદાર સેવિંગ
હાલનો નિયમ કહે છે કે કંપનીઓ પોતાના અને બધા ગ્રાહકોને 30 દિવસના ફ્રી-લુક પીરિયડ ઓફર કરી શકે છે. પરંતુ આ મેન્ડેટરી નથી. ઈરડાના પ્રસ્તાવ 15 દિવસની જરૂરી શરતોને 30 દિવસ સુધી લઈ જવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.